કોંગ્રેસે ગુજરાતના ક્યા ભૂતપૂર્વ 14 ધારાસભ્યોને છ વર્ષ માટે ચૂંટણી લડવા ગેરલાયક ઠેરવવા કરી અરજી?
આ ઉપરાંત પી.આઇ.પટેલ (વિજાપુર), સી.કે.રાઉલ (ગોધરા), માનસિંહ ચૌહાણ (બાલાસિનોર), રામસિંહ પરમાર (ઠાસરા), છનાભાઈ ચૌધરી (વાંસદા), ભોળાભાઈ ગોહેલ (જસદણ), તેજશ્રી પટેલ (વિરમગામ), કરમશી પટેલ (સાણંદ), ધમેન્દ્રસિંહ જાડેજા (જામનગર શહેર) અને રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય) સામે અરજી કરાઇ છે.
કોંગ્રેસના દંડક શૈલેષ પરમારે જણાવ્યું કે, પક્ષપલટુ ધારાસભ્યોને સામે કાયદાકીય લડત દ્વારા સજા થાય તે માટે કોંગ્રેસ છેક સુપ્રીમ કોર્ટ સુધી લડશે. આ ધારાસભ્યોમાં શંકરસિંહ વાઘેલા (કપડવંજ) ઉપરાંત તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા (બાયડ), વેવાઈ બલવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર), અમિત ચૌધરી (માણસા)નો સમાવેશ થાય છે.
પરમારે જણાવ્યું કે, કોંગ્રેસના વ્હીપની વિરુદ્ધમાં મતદાન કરનાર 14 ધારાસભ્યો બંધારણની અનુસૂચિ (પક્ષ પલટા ધારા)ની જોગવાઇ મુજબ ચૂંટણી લડવા માટે વ્હીપનો ભંગ કરનાર 'રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ'ની જોગવાઇ મુજબ વર્ષ સુધી કોઇપણ પક્ષના કે અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે.
કોંગ્રેસના 14 ધારાસભ્યોએ વ્હીપનો અનાદર કરતા કોંગ્રેસે શંકરસિંહ વાઘેલા સહિત તમામ 14 ધારાસભ્યોને વ્હીપનો ભંગ ઉપરાંત 10 ધારાસભ્યોને પક્ષ પલટો કરવા બદલ ગેરલાયક ઠેરવવાની પિટિશન કોંગ્રેસના દંડક શૈલેષ પરમારે વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સમક્ષ કરી છે.
કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને પક્ષના ઉમેદવાર અહેમદ પટેલને મત આપવાનો વ્હીપ આપ્યો હતો છતાં 14 ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. આ પૈકી 13 ધારાસભ્યો વિધિવત્ રીતે ભાજપમાં જોડાય ગયા છે જ્યારે શંકરસિંહ વાઘેલા કોઈ પક્ષમાં જોડાયા નથી.
ગાંધીનગરઃ રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના વ્હીપનો અનાદર કરી ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને મત આપનારા 14 ભૂતપૂર્વ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા કોંગ્રેસે સત્તાવાર રીતે વિધાનસભાના સ્પીકર રમણલાલ વોરા સામે અરજી કરી છે.