હાર્દિકની જામીન અરજીની સુનાવણી આજે પણ ના થઈ, મોદીના કાર્યક્રમ સુધી હાર્દિકે રહેવું પડશે જેલમાં જાણો વિગત ?
કોર્ટે પોલીસને તાકીદ કરી હતી કે, જામીન અરજી મામલે પોલીસ બુધવારે કાગળો રજૂ કરે તેથી પોલીસે નવું બહાનું શોધી કાઢ્યું. હવે હાર્દિક પટેલની જામીન અરજી મામલે સુનાવણી થાય એ સંજોગોમાં હાર્દિક પટેલ તથા દિનેશ બાંભણિયા બંનેને જામીન મળી જવાની શક્યતા છે.
પોલીસની ગણતરી એવી હશે કે, આ રીતે મુદતો પડ્યા કરે તો હાર્દિકને લાંબો સમય જેલમાં રાખી શકાશે. કોર્ટે મંગળવારે હાર્દિક પટેલની જામીન અરજી માટે બુધવારની તારીખ આપી હતી ને હવે શુક્રવારની તારીખ પડી છે તે જોતાં પોલીસની ગણતરી સાચી પડી રહી હોય એવું લાગે છે..
પોલીસનું વલણ જોતાં એવી છાપ ઉભી થઈ છે કે, પોલીસ હાર્દિક પટેલને બને એટલો લાંબો સમય જેલમાં રાખવા માગે છે. હાર્દિક સામેનો કેસ અઠવાડિયા જૂનો છે અને તેને પોલીસે ત્રણ દિવસના રીમાન્ડ પર રાખ્યો હતો. આ સંજોગોમાં હાર્દિકની જામીન અરજીની સુનાવણી વખતે કાગળો તૈયાર નથી એ કારણ હાસ્યાસ્પદ છે.
પાટણઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલની જામીન અરજીના મામલે પાટણ પોલીસે આજે નવો દાવ કરતાં હાર્દિકે વધુ 3 દિવસ જેલમાં રહેવું પડશે. પાટણમાં હાર્દિક પટેલ સામે મારામારીના કેસમાં હાર્દિકની જામીન અરજી પર આજે સુનાવણી હતી પણ તપાસ અધિકારી હાજર ના રહેતાં મુદત પડી છે.
હાર્દિક પટેલને મંગળવારે પણ પાટણ પોલીસે કોર્ટમાં રજૂ ના કરતાં જામીન અરજી પર સુનાવણી શક્ય નહોતી બની. પોલીસે હાર્દિક પટેલને કોર્ટમાં રજૂ નહીં કરવા માટે એવું કારણ આપ્યું હતું કે, કેસને લગતા કાગળો તેણે તૈયાર કર્યા નથી તેથી હાર્દિકને હાજર નહીં કરી શકાય.
કોર્ટે હવે હાર્દિકની જામીન અરજી મામલે 8 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. પોલીસ હાર્દિકની જામીન અરજીના મામલે ઠાગાઠૈયા કરી રહી છે તેના પરથી એવી ચર્ચા જાગી છે કે, વડાપ્રધના નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના કાર્યક્રમ સુધી હાર્દિકને જેલમાં જ રખાશે કે જેથી મોદીના કાર્યક્રમમાં પાટીદારો કોઈ ધમાલ ના કરે.