✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજકેટની પરીક્ષાની તારીખ બદલાઈ, જાણો કઈ તારીખે યોજાશે પરીક્ષા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jan 2019 04:03 PM (IST)
1

ગાંધીનગર: શિક્ષણ બોર્ડે ધો.12 સાયન્સના A અને B ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષાની તારીખ 4 એપ્રિલ 2019નાં રોજ ગુરૂવારે કરી દેવામાં આવી છે. આ પહેલા ગુજકેટની પરીક્ષા માટે 30 માર્ચ જાહેર કરવામાં આવી હતી. આ પરીક્ષા અલગ અલગ ચાર ઝોનમાં યોજાશે. આ વર્ષે સાયન્સમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા છે.

2

ગુજકેટનો અભ્યાસક્રમ ધો.12ના હાલના અભ્યાસક્રમ આધારિત રહેશે. જેમાં એમસીક્યુ પ્રશ્નપત્રો રહેશે. ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સના 40 પ્રશ્નો તથા 40 ગુણ રહેશે. ફિઝીક્સ અને કેમિસ્ટ્રીનું પેપર સંયુક્ત રહેશે. બાયોલોજી અને મેથ્સનું પેપર અલગ અલગ રહેશે. તેની ઓએમઆર શીટ પણ અલગ આપવામાં આવશે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી રહેશે. ફોર્મ ભરવાની સૂચના તથા અભ્યાસક્રમની માહિતી પુસ્તિકા ઓનલાઈન મુકવામાં આવશે.

3

ધો.12 સાયન્સ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે 2017થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. જે મુજબ 2019ના વર્ષ માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સાયન્સ A ગ્રુપ,B ગ્રુપ અને AB ગ્રુપના વિદ્યાર્થીઓની ગુજકેટ પરીક્ષા 4 એપ્રિલ 2019નાં રોજ ગુરૂવારે સવારે 10 થી 4 સુધી જિલ્લાકક્ષાના કેન્દ્રો ખાતે લેવાશે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજકેટની પરીક્ષાની તારીખ બદલાઈ, જાણો કઈ તારીખે યોજાશે પરીક્ષા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.