✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નલિયા બળાત્કારકાંડ અંગે હાર્દિકનો હુંકારઃ જરૂર પડ્યે ઠોકશાહી પણ કરીશું, જાણો બીજું શું કહ્યું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Feb 2017 10:03 AM (IST)
1

2

તેણે કહ્યું કે પાટીદાર આંદોલન એ કોઇ સમાજના વિરોધ માટેની લડાઇ નથી, પણ પાટીદારના યુવાનો જ્યારે 85 ટકા મેળવીને પણ મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં એડમિશન નથી મેળવી શકતા અને લાખો રૂપિયા ડોનેશન આપી ખાનગી કોલેજમાં ભણવું પડે અને નોકરીમાં પણ એવી જ પરિસ્થિતિ છે તેની સામેની આ લડત છે.

3

ભુજ:નલિયા સેક્સ કાંડના કારણે રાજ્યનું રાજકારણ ગરમ છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે હુંકાર કર્યો કે મહિલાઓના સન્માન માટે લોકશાહી ઢબે ચાલીશું પણ જરૂર પડ્યે ઠોકશાહી પણ કરીશું. સોમવારે કચ્છ આવેલા હાર્દિકે સરકારે રચેલી સીટને લોલીપોપ સમાન ગણાવી હતી.

4

હાર્દિકે જણાવ્યું હતું કે, અમને હજારો ની જરૂર નથી પણ તમારા જેવા 100 મળી જાય તો પણ ભગતસિંહની જેમ લડી લેશું. કચ્છના મુંબઈમાં વસેલા જૈન અને પટેલોને મળ્યો ત્યારે તેમની પાસેથી જાણવા મળ્યું કે, તે લોકોને મજબૂરીથી મુંબઇ જઇ વસવું પડ્યું છે, ત્યારે કચ્છના પાટીદારોને પોતાનું વતન છોડવું ન પડે તે માટેની લડત છે.

5

ભાજપને ચાબખા મારતાં તેણે જણાવ્યું હતું કે, હું જે રાજ્યોમાં અનામત બાબતે જાગૃતિ છે તે રાજ્યોના નેતાઓને મળું છું અને આ લોકો નક્કી નથી કરી શકતા કે હું આપનો છું, કોંગ્રેસનો છું કે શિવસેનાનો છું, પણ હું આ બાબતે કહેવા માગું છું કે, હું માત્ર અહીં મને સાંભળતા પાટીદારોનો છું.

6

આ સભામાં નલિયા દુષ્કર્મ કાંડ મામલે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમારે નલિયાકાંડ નથી જોઇતો પણ મહિલાનું સન્માન જોઇએ છે. જે અબડાસા 100 સુમરીની ઇજ્જત બચાવતા અબડાની જગ્યા છે તે જગ્યાએ જ આવી હિન ઘટના બને તે ખરેખર શરમજનક ઘટના છે.

7

હાર્દિકે આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવવા તથા આ ગંભીર કેસની તપાસ સીબીઆઇ પાસે કરાવવાના મુદ્દા ઉઠાવ્યા હતા. કોઠારા જઇ પીડિતાના પરિવારની મુલાકાત લઇ પોતે લડત ચલાવશે, એવો સધિયારો પણ હાર્દિકે આપ્યો હતો. હાર્દિકે ભુજમાં પાટીદાર આંદોલન સમિતિ કચ્છ આયોજિત સભામાં કાર્યકરોને સંબોધ્યા હતા.

  • હોમ
  • ગુજરાત
  • નલિયા બળાત્કારકાંડ અંગે હાર્દિકનો હુંકારઃ જરૂર પડ્યે ઠોકશાહી પણ કરીશું, જાણો બીજું શું કહ્યું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.