✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જૈન મુનિ મહારાજ લોકસભાની ચૂંટણી લડશે, ભાજપ અને કોંગ્રેસના સંપર્કમાં હોવાનો કર્યો દાવો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2019 08:30 AM (IST)
1

જૈન મુનિ રાજેન્દ્ર મહારાજે જણાવ્યું હતું કે, હું આદીવાસીઓની આગેવાની લઈ આગામી લોકસભાની સીટ માટે બન્ને પક્ષના મોવડીઓ જોડે સંપર્કમાં છું. મારા સમાજના લોકો જે કહેશે તે પ્રમાણે હું કરીશ.

2

ભાજપ અને કોંગ્રેસના વર્ષોથી મહેનત કરતા કાર્યકરો હોવાથી નવા ચહેરાને ટીકિટ આપી કોઈ પણ પક્ષ જોખમ લેવા તૈયાર નથી. હજુ સુધી સત્તાવાર કોઈ પણ પક્ષે જાહેરાત કરી નથી. પરંતુ મુનિ મહારાજે પ્રેસ કોન્ફરન્સ કરી પોતે લોકસભાની ટીકિટ માંગશે તેવી જાહેરાત કરી રાજકારણ ગરમાયું છે.

3

અત્યાર સુધી આ સીટ પર કોંગ્રેસનું પ્રભુત્વ હતું. 2002માં સમીકરણ બદલાયા બાદ ભાજપ જીત્યું હતું ત્યાર બાદ કોંગ્રેસના ફાળે આ સીટ ગઈ હતી અને નારણ રાઠવા રેલ મંત્રી રહી ચૂક્યા છે. આ સીટ પર બે જ પક્ષનુ પ્રભૂત્વ છે. પરંતુ આજે આદિવાસી રાઠવા સમાજમાંથી જૈન મુનિ રાજેન્દ્ર મહારાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, હું વિસ્તારમાં શૈક્ષણિક, વ્યસન મુક્તિ સહિતના કામોમાં સક્રિય છું.

4

છોટાઉદેપુરમાં જૈન મુનિ મહારાજ ડો. રાજેન્દ્ર વિજય ગનીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના મવડી મંડળ સંપર્કમાં હોવાની વાત કહી 2019ની લોકસભાનું રણશીંગુ ફૂંક્યું છે.

  • હોમ
  • ગુજરાત
  • જૈન મુનિ મહારાજ લોકસભાની ચૂંટણી લડશે, ભાજપ અને કોંગ્રેસના સંપર્કમાં હોવાનો કર્યો દાવો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.