જીજ્ઞેશ મેવાણીએ સામખિયાળી હાઈવે બંધ કરાવી દેવાની આપી કેમ ચીમકી?
જીગ્નેશ મેવાણીએ ચિમકી ઉચ્ચારી છે કે જમીન દલિતોને પાછી આપવામાં નહીં આવે તો સામખિયાળી નેશનલ હાઈવે બંધ કરવામાં આવશે. તેમજ ભચાઉમાં દલિતોને ફાળવાયેલી જમીન પર 35 વર્ષથી દબાણ કરવામાં આવ્યું છે. જે દૂર કરી જમીન દલિતોને આપવામાં આવે તે બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
હાલમાં જ ભુજમાં ભુજમાં દલિત અધિકાર રેલીને સંબોધિત કરતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે કચ્છ જીલ્લામાં આવેલી દલિત સમુદાયની કેટલીક જમીનો પર અન્ય લોકો ગેરકાયદે રીતે કબજો કરીને બેઠા છે. જીગ્નેશ મેવાણીએ એવી ચીમકી ઉચ્ચારી છે કે સીએમ રૂપાણીને બાબાસાહેબની પ્રતિમાને હાથ નહીં અડાડવા દઈએ. તેમજ માગ કરી હતી કે કચ્છમાં દલિતોની જમીનો પર માથાભારે તત્વોનો જે કબજો એ ઝડપથી દુર કરવામાં આવે.
રાજ્યમાં એક બાજુ પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ પણ ભાજપ સરકાર સામે દલિત સમુદાયના હક્કોને લઈને આક્રમક આંલોદન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ભુજઃ રાજ્યમાં ફરી દલિદ આંદોલન થવાની શક્યતા જોવા મળી રહી છે. દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ રાજ્ય સરકાર સામે દલિત સમુદાદાયના પ્રશ્ને જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.