લાલજી પટેલે SPGના કાર્યકરોને કયાં પક્ષ માટે પ્રચાર કરવા આપ્યો આદેશ? જાણો વિગત
લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં કોંગ્રેસનાં ઉમેદવાર સામે પાટીદાર સમાજ કે અન્ય સમાજનો વિરોધ હશે તેવી જગ્યાઓ પર અન્ય પક્ષો કે અપક્ષોને ટેકો આપવામાં આવી રહ્યો છે. કોઈ પણ જગ્યાએ ભાજપનાં ઉમેદવારોને એસપીજી સમર્થન આપી રહી નથી. બને તો તટસ્થ રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ભાજપ શાસનમાં પાટીદાર સમાજ પર થયેલા અત્યાર બાબતે એસપીજીએ ભાજપનાં બદલે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. મહેસાણામાં એસપીજીએ સમાજની લાગણીને માન આપીને તટસ્થ રહેવાનો અભિગમ અપનાવ્યો છે. મહેસાણામાં સમાજનાં લોકોએ જેને વોટ આપવાની ઈચ્છા હોય તેને વોટ આપે એમાં એસપીજી કોઈ દખલ કરશે નહીં.
આ અંગે લાલજી પટેલે જણાવ્યું હતું કે એસપીસીજી ગુજરાતભરમાં સમાજહિતને ધ્યાને રાખીને ટેકો આપવાનું વલણ અપનાવ્યું છે. જ્યાં સ્વચ્છ છબિ ધરાવતા ઉમેદવાર છે ત્યાં એસપીજી તેમને સમર્થન આપશે.
નોંધનીય છે કે લાલજી પટેલે બે દિવસ પહેલા કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં એસપીજીની ટીમો અનામતને લઈ પ્રચાર કરશે. આ રીતે એસપીસીજીએ પણ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે.
લાલજી પટેલ સમગ્ર ગુજરાતમાં વિરોધી વોટ માટે પોતાની 10 જેટલી ટીમને કાર્યરત કરી દીધી છે. ખાસ કરીને જ્યાં-જ્યાં પોલીસે અત્યાચારો કર્યા છે તે તમામ બેઠકો પર એસપીજી ભાજપ વિરોધી પ્રચાર કરી કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપી રહી હોવાનું જાણવા મળ્યું છે.
પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેની જેમ જ ભાજપ સામે બાંયો ચઢાવનરા એસપીજી ગ્રુપના લાલજી પટેલે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ, રાજકોટ, અને સુરતમાં લાલજી વિરુદ્ધ કોંગ્રેસનાં ઉમેદવારોને ટેકો આપી રહ્યું છે.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનનાં કારણે ચર્ચામાં રહેલા બે નામો પૈકી હાર્દિક પટેલે તો ભાજપ સામે મોટાપાયા પર મોરચો ખોલી દીધો છે જ્યારે હાર્દિકની પાંગતે જ રહેલા અને સરદાર પટેલ ગ્રુપનાં વડા લાલજી પટેલે પણ કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે.