સરદાર પીએમ હોત તો મોદી ન બન્યા હોત..., પરેશ ધાનાણીએ શું કરી બીજી કોમેન્ટ, જાણો વિગત
છેલ્લે હિંન્દુસ્તાનને અફસોસ છે સરદાર PM કેમ ન બન્યા? તેવો સવાલ ઉઠાવ્યો છે.
અમદાવાદ: બે દિવસ પહેલાં સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણના આભાર પ્રસ્તાવની ચર્ચામાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા. જોકે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરદાર પટેલ દેશના પહેલા વડાપ્રધાન બન્યા હોત તો મારા કાશ્મીરનો હિસ્સો પાકિસ્તાન પાસે ન હોત. આખું કાશ્મીર આપણું હોત. સરદાર પટેલ સાથે અન્યાય થયો હતો.
નહીં વધતી મોંઘવારી, નહીં જેલવું પડત જૂઠ, ના બગડતી અર્થવ્યવસ્થા સહિતના મુદ્દા ઉઠાવ્યા છે.
શ્રી સરદાર જો પીએમ હોત તો RSSના બચત અને RSS ન હોત તો ભાજપ ન હોત. વધુમાં ધાનાણી લખ્યું છે કે, ભાજપ ન હોત તો મોદી PM ન બન્યા હોત.
નરેન્દ્ર મોદીએ આવું કહેતા જ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક વિવાદિત ટ્વીટ કર્યું છે જેમાં લખ્યું હતું કે, સરદાર પટેલ પીએમ ના બન્યા તેનો અફસોસ વ્યક્ત કરી ભાજપ પર વ્યંગબાણ છોડ્યા છે.