પોલીસની પનોતી બેઠીઃ તમામ પોલીસોની રજા રદ, રજા પર હોય તેમને હાજર થવા ફરમાન, જાણો શું અપાયાં કારણ?
ગૃહ ખાતાના આ આદેશથી પોલીસ તંત્રમાં કામ કરનારા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. પોલીસ તંત્રમાં કામ કરતા લોકો પાસે નિયત કલાકો કરતાં વધારે કામ કરાવાય છે તેવી ફરિયાદો છે જ અને હવે તેમને રજા પણ નહીં આપવાનો નિર્ણય કરાયો તેથી પોલીસ તંત્રમાં અસંતોષ વધશે તેવું મનાય છે.
જો કે પોલીસ તંત્રમાં એવી ચર્ચા છે કે ગુરૂવારે પ્રદીપસિંહ જાડેજા પર ફેંકાયેલા જૂતાને કારણે સરકાર ફફડી ગઈ છે અને હવે બીજા પ્રધાનો તથા ભાજપના નેતાઓને નિશાન બનાવીને આ પ્રકારની હરકતો ના કરાય એટલે તમામ પોલીસોની રજા કેન્સલ કરવાનો હુકમ કરાયો છે.
આ ઉપરાંત વિધાન સભાના ચાલુ સત્ર અને રાજ્યમાં ઠેરઠેર થઈ રહેલા વિરોધ પ્રદર્શનને જોતા અનિવાર્ય સંજોગો સિવાય કોઈને રજા નહીં આપવાનું આ પરિપત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે. રાજ્યમાં અત્યારે ભાજપ સરકાર સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે તેથી રાજકીય રીતે માહોલ ગરમ છે.
આ આદેશમાં એમ પણ કહેવાયું છે કે જે પોલીસ કર્મીઓ રજા પર હોય તેમણે રજા ટૂંકાવીને તાત્કાલિક ફરજ પર હાજર થવું. આ પરિપત્રમાં પોલીસોની રજાઓ રદ કરવા માટેનાં કારણો પણ અપાયાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 8 માર્ચે સંભવિત ગુજરાત મુલાકાતને તેમાં એક કારણ ગણાવાયું છે.
રાજ્યના ગૃહ મંત્રાલયે એક આદેશ બહાર પાડીને રાજ્યના તમામ પોલીસોની રજા એક અઠવાડિયા માટે રદ કરવા આદેશ આપ્યો છે. એડીશનલ ડી.જી (વહીવટ) મોહન ઝાએ આજે મોડી સાંજે 'રજા પર પ્રતિબંધ' મૂકતો એક હુકમ કરી આદેશ આપ્યો છે કે, ૩થી ૮ માર્ચ દરમિયાન જે પોલીસ કર્મીની રજા મંજૂર હોય તેમની રજાઓ રદ કરી દેવી.
અમદાવાદ: ગુજરાતમાં પોલીસો માટે પનોતી કાળ ચાલતો હોય એવું લાગી રહ્યું છે. રાજકોટમાં દાઉદ ઈબ્રાહીમના શાર્પ શૂટર્સ પકડાયા અને પછી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આતંકવાદી પકડાયા તેથી આખું પોલીસ તંત્ર ધંધે લાગી ગયું છે. આ ઓછું હોય તેમ રાજ્યના તમામ પોલીસોની રજા રદ કરી દેવાઈ છે.