કલોલના શેરથામાં સરદાર પટેલની પ્રતિમા સાથે અજાણ્યા શખ્સોએ કરી ટીખળ, જાણો શું કર્યું...
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Mar 2018 12:22 PM (IST)
1
ઉલ્લેખનિય છે કે આ પ્રતિમાનું વર્ષ 1992માં અનાવરણ કરવામાં આવ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
2
સરદાર પટેલના સ્વપ્નોને સાકાર કરવાના ધમપછાડા કરતાં નેતાઓ શું પ્રતિમાના અપમાન બદલ જવાબ આપશે તે મુદ્દે હલ ચકચાર જામી છે.
3
સરદાર પટેલનું અપમાન કરવાનો પ્રયત્ન કરનારા કસૂરવારોને ઝડપી લઈ સજા કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગણી કરી છે.
4
કલોલઃ શહેરના શેરથામાં આવેલી સરદાર પટેલની પ્રતિમાનું અપમાન કર્યાની ઘટના સામે આવી છે. કેટલાક અજાણ્યા શખ્સોએ ટીખળ કરતાં બોટલ અને ઝાડના પાનનો હાર સરદારની પ્રતિમાને પહેરાવ્યો છે.