✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જામનગરઃ પોતાના મોતની આગાહી ખોટી પડતાં હરિબાપાએ શું કહ્યું? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Apr 2018 10:17 AM (IST)
1

હોસ્પિટલમાં તબીબે હરિબાપાની તબીયત સ્વસ્થ હોવાનું જણાવતા ઉમટેલા ગ્રામજનો, ભાવિકો પોતપોતાનાં ઘરે ચાલ્યા ગયા. સાંજે ૭.૩૦ કલાકે નાટકીય ઢબે હરિબાપા ભાનમાં આવી ગયા અને ૧૦૮ મારફત ધ્રોલ સરકારી હોસ્પિટલે ખસેડાયા.

2

જામનગર: જામવણથલી ગામે 77 વર્ષીય વૃદ્ધ હરિલાલ વેલજીભાઇ ખોલીયાએ આગાહી કરી હતી કે, 24મી એપ્રિલે પાંચ વાગ્યે મને ભગવાન શ્રીકૃષ્ણ લેવા આવી રહ્યા છે. આ વાત પછી મોટી સંખ્યામાં આસપાસના ગામથી લોકો દોડી આવ્યા હતા. જોકે, તેમની આગાહી સાચી પડી નહોતી. હરિબાપાએ 5 વાગ્યાથી આંખો બંધ કરી દીધી હતી. પરંતુ અંતે 7 વાગે તેને એકાએક આંખો ખોલી નાંખી હતી.

3

આ સમયે હરિબાપા બોલ્યા કે હરિએ મને પરમધામ દેખાડ્યું , જ્યાં સુર્ય-ચંદ્ર જેવું કંઇ છે જ નહીં. તેમણે ભાનમાં આવ્યા પછી જણાવ્યું હતું કે, મને એટેક આવી ગયો ને મને હરિ લેવા નથી આવ્યા. હવે આપણે ખોટા પડી ગયા બીજું શું. બીજું શું કઉં. હરિબાપાની આ આગાહી પછી હરિને બદલે પોલીસ લેવા આવી. મેડિકલની ટીમે ચેકઅપ કર્યું તેઓ સ્વસ્થ હતા. ત્યારબાદ તેમને 108 મારફતે હોસ્પિટલ લઇ જવાયા હતા.

4

ગઇકાલથી સૌરાષ્ટ્રભરના દરેક ગામના લોકોમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આગાહી પછી દેહત્યાગ ન થતા સૌરાષ્ટ્રભરના લોકોમાં અંધશ્રધ્ધા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હરિબાપાએ પોતાને હરિ પ્લેનમાં લેવા આવવાના છે તેવો દાવો કર્યો હતો. પરંતુ તે દાવો પોકળ નીવડ્યો છે.

5

પાંચ વાગ્યે પોતાને ભગવાન લેવા આવવાનો સમય આપ્યો હતો. પરંતુ હરિબાપાને હરિ ન આવ્યા લેવા. જેને લઇને ગ્રામજનો સહિત ઉમટી પડેલા લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી. છેલ્લી 10 મિનિટ બાકી હતી ત્યારે હરિબાપાએ પોતાની આંખો બંધ કરી દીધી હતી.

  • હોમ
  • ગુજરાત
  • જામનગરઃ પોતાના મોતની આગાહી ખોટી પડતાં હરિબાપાએ શું કહ્યું? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.