✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અલ્પેશ ઠાકોર દશેરાએ ક્યા રાજકીય પક્ષની પંગતમાં બેસવું તેનું કરશે એલાન, જાણો બીજું શું કહ્યું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Aug 2017 10:52 AM (IST)
1

ઠાકોર સમાજના લોકોને સંબોધન કરતા અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, ભાજપ હોય કે કોંગ્રેસ જે મારા ગરીબ લોકોની દરકાર રાખશે, જે ગરીબ લોકોને પ્રતિનિધિત્વ આપશે તેમની સાથે રહીશુ. કોઇના પગે પડીને ખુરશી જોઇતી નથી, પગે પડીને લીધેલી ખુરશીમાં પાવર હોતો નથી. બંને પાર્ટીઓ જો અમારી વાત સહિં સાંભળે તો હવે અમે તાકાત મેળવી લીધી છે અને આવનાર સમયમાં અમે બતાવી દઇશુ.

2

ચિલોડા મોટામાં ઠાકોર સમાજ દ્વારા મહાસંમેલન યોજવામા આવ્યુ હતું. સંમેલનમાં રીસોર્ટના માલિક અને સમાજના આગેવાન એસ પી ઠાકોર, સરોજબેન ઠાકોર અને તેમના પુત્રએ અલ્પેશને તલવાર અને સાફો પહેરાવી સ્વાગત કર્યુ હતું. સમાજના ભટકી ગયેલા યુવાનોએ અલ્પેશ દ્વારા રસ્તો બતાવવાનુ કામ કરવામાં આવ્યુ છે. વ્યસન મુક્તિ અને દારૂ બંધી સહિતની કામગીરી કરાવાઇ છે.

3

અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, જે અમારા સાજની વાત સાંભળશે તેમને અમે ટેકો આપીશું. અમ હવે સરકારને ઝુકાવવાની તાકાત મેળવી લીધી છે. અલ્પેશ ઠાકોર ક્યારેય રૂપિયાની લાલચમાં આવ્યો નથી અને આવશે પણ નહીં.

4

ગાંધીનગર: મોટા ચિલોડાના એસ પી રીસોર્ટમાં ઠાકોર સેનાનુ મહા સંમેલન યોજવાઈ ગયું. આ સંલેનમાં અલ્પેશ ઠાકોરે સમાજના યુવાનોએ વ્યસનથી દુર રહેવા અને શિક્ષિત બનાવ ઉપર ભાર મુક્યો હતો અને કહ્યુ હતુ કે આગામી દશેરાના દિવસે ગાંધીનગરમાં ઠાકોર સેના અને ઓએસએસ સમિતિ દ્વારા 10 લાખ લોકોને એકઠા કરી જાહેર કરાશે કે અમારે કયા પક્ષ સાથે રહેવુ.

  • હોમ
  • ગુજરાત
  • અલ્પેશ ઠાકોર દશેરાએ ક્યા રાજકીય પક્ષની પંગતમાં બેસવું તેનું કરશે એલાન, જાણો બીજું શું કહ્યું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.