નર્મદામાં ગણેશ વિસર્જન યાત્રા બની તોફાની: યુવતીની છેડતી મુદ્દે તકરાર થતાં એકનું મોત, છ ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Sep 2017 10:17 AM (IST)
1
બે આદિવાસી જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસે 17 લોકો સામે હર્યા અને રાયોટિંગ સહિતની ફરિયાદ દાખલ કરી છે. તેમજ મામલો ઉગ્ર ન બને તે માટે કુમસગામઅને નવાપુરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
2
આ અંગેની વિગત એવી છે કે, કુમસગામની ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન યુવતીની છેડતી મામલે ઠપકો આપવા જત નવાપુરના લોકોએ હુમલો કરી દીધો હતો. જેમાં કુમસગામના છ લોકો ઘાયલ થયા હતા. ત્રણને ગંભીર ઇજા થતાં વડોરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે એકનું મોત થયું છે.
3
નર્મદાઃ નવાપુરા ગામે ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થતાં એકનું મોત થયું છે. જ્યારે લોકો ઘાયલ થયા છે. જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. યાત્રા દરમિયાન યુવતીની છેડતીને લઇને તકરાર થઈ હોવાનું જાણવા મળ્યું છે.