નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામ દરમિયાન કામદારના મોતથી હોબાળો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Feb 2018 10:43 AM (IST)
1
મળતી વિગતો પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ કરતાં એક કામદારનું મોત થતાં કામદારો અને નર્મદા નિગમ, L&T અને પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ કામદારોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ બંધ કરાવી દીધું હતું.
2
નર્મદાઃ નર્મદા ખાતે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે સાઇટ પર કામ કરતાં એક કામદારનું નીચે પટકાતા મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. કામદારનું મોત થતાં ભારે હોબાળા પછી કામદારોએ કામ બંધ કરાવી દીધું હતું.