✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નર્મદા નદી પરના સરદાર સરોવર બંધમાં ખરેખર કેટલું પાણી બચ્યું છે? જાણીને લાગી જશે આઘાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Feb 2018 10:10 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં, ચોમાસાનો અંત આવ્યો ત્યારે ડેમમાં 130.74 મીટર પાણી હતું, ડેમમાં પાણીની આવક પણ સારી એવી હતી. ડિસેમ્બર સુધી ડેમની સપાટી 124 મીટર હતી અને ધીરેધીરે આવક ઘટવા માડી હતી. તેમ છતાં સરકારે ચૂંટણીનો સમય હોઈ માત્ર બે મહીનામાં 12 મીટર પાણી વહેવડાવી દીધું. હવે ડેમમાં ઉપયોગમાં લઈ શકાય તેવું પાણી માત્ર 2 મીટર છે.

2

આ મામલે થોડા સમય પહેલા જ મુખ્યમંત્રીએ ખેડૂતોને ઉનાળું પાકનું વાવેતર ન કરવાનું કહ્યું હતું. તેમનું કહેવું હતું કે નર્મદામાં પાણી ઓછું છે અને અમારે લોકોને પીવાનું પાણી આપવાનું છે આથી ખેડૂતો ઉનાળુ પાકની વાવણી ન કરે. એટલું જ નહીં ગુજરાતના મુખ્ય સચિવ જેએન સિંહે કહ્યું હતું કે, સરકાર ઉદ્યોગોને પણ પાણી નહીં આપી શકે. સ્થાનિક સંસ્થાઓને પણ પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા રાખવાનું કહેવામાં આવ્યું છે.

3

નર્મદાનું લઘુત્તમ લેવલ 110.7 મીટર છે, હાલમાં ડેમમા 112.22 મીટર પાણી છે. એટલે કે માત્ર 2 મીટર બચ્યું છે. જ્યારે 1થી 15 ડિસેમ્બર વચ્ચે 3 મીટર પાણી છોડવામાં આવ્યું હતું, એટલે કે જેટલું પાણી અત્યારે ડેમમાં છે તેનીથી વધુ તો 15 દિવસમાં છોડાયું છે. હાલમાં 5611 ક્યૂસેક પાણી મધ્યપ્રદેશ તરફથી ડેમમાં ગુજરાતમા આવી રહ્યું છે જ્યારે અહીંથી 8800 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે, એટલે કે જેટલું આવે છે તેનાથી વધુ પાણી તો છોડવું પડે છે.

4

એક જાણીતા ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે ચોમાસાને આડે હજુ ચારથી પાંચ મહિના બાકી છે. ત્યારે નર્મદા ડેમમાં લઘુત્તમ લેવલથી માત્ર બે મીટર સુધી પાણી છે. હાલમાં પાણીની આવક કરતાં જાવક વધુ છે. ખેતી અને ઉદ્યોગો તો ઠીક છે પણ ચાલુ વર્ષે ઉનાળામાં લોકોને પીવાનું પાણી મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ગુજરાતની 4.4 કરોડ વસતી એટલે કે 75 ટકા સંપૂર્ણપણે નર્મદાના પાણીના સહારે છે. તેમાં 169 નાના-મોટા શહેર અને 12028 ગામડાઓનો સમાવેશ થાય છે.

5

હાલમાં જ મુખ્યમંત્રીએ એવું કહ્યું હતું કે ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર ન કરે કારણ કે નર્મદામાં પાણી નથી. જોકે મળતી માહિતી પ્રમાણે નર્માદા સ્થિતિ જેટલું આપણે સાંભળ્યું છે તેના કરતાં પણ વધારે ખરાબ છે.

6

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી એવી નર્મદા નદીનો સરસ્વતિ નદી સાથે જે જગ્યાએ મેળાપ થાય છે તે ત્રિવેણી સંગમનું સ્થળ એટલે ચાણોદ ગામ જયાં આવેલ આ સંગમ સ્થળને અતિશય પવિત્ર સ્થળ માનવામાં આવે છે. જોકે ડેમમાં જ પાણીની સપાટી નીચી ચાલી જતા નદી સાવ સૂકી ભટ્ટ થઈ ગઈ છે.

  • હોમ
  • ગુજરાત
  • નર્મદા નદી પરના સરદાર સરોવર બંધમાં ખરેખર કેટલું પાણી બચ્યું છે? જાણીને લાગી જશે આઘાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.