પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આગામી મહિને ફરી વખત આવશે ગુજરાત, જાણો શું છે કાર્યક્રમ
હાલ ડેમમાં સંગ્રહ થયેલાં પાણીથી 3 કરોડ લોકોને લાભ મળે છે પરંતુ હવે ડેમની સંગ્રહ ક્ષમતામાં 3.75 ટકાનો વધારો થયો છે. આ સાથે જ 1961માં ડેમના ખાતમૂહુર્તના 56 વર્ષ પછી ઐતિહાસિક ડેમની કામગીરી પૂર્ણ થઈ છે. ચોમાસા અગાઉ ડેમના દરવાજા બંધ થઈ શકતા હવે નર્મદાનું પાણી દરિયામાં વહી જતું અટકાવી શકાશે.
જેમાં 27 જુલાઇથી 5 ઓગસ્ટ સુધી નર્મદા મહોત્સવ ગુજરાતભરમાં અલગ-અલગ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. તેની પૂર્ણાહુતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 12 ઓગસ્ટે ડભોઈ ખાતે કરવામાં આવશે. અગાઉ નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નર્મદા યાત્રા યોજવાનું નક્કી થયું હતું પરંતુ હવે યાત્રાને બદલે ગુજરાતભરમાં મહોત્સવ કરવામાં આવશે.
તાજેતરમાં જ કેંદ્ર સરકાર દ્વારા નર્મદા ડેમ પર 30 દરવાજા બંધ કરવાની મંજૂરી મળી હતી. 17મી જૂને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર લગાવવામાં આવેલાં 30 દરવાજાને બંધ કર્યા હતા.
અમદાવાદ: વડાપ્રધાન મોદી આગામી મહિને ગુજરાતની મુલાકાતે આવશે. પીએમ મોદી 12 ઓગસ્ટના ડભોઈમાં આયોજીત નર્મદા મહોત્સના પૂર્ણાહુતિ કાર્યક્રમાં હાજરી આપશે. મોદીના આ યાત્રા ડિસેંબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે મહત્વની માનવામાં આવે છે.