મોદી નહીં આવે કચ્છના ધોરડો, તેમના બદલે કોણ કરશે ટુરિઝમ સમિટનું ઉદઘાટન? જાણો
રણોત્સવ વધુ એક રાષ્ટ્રીય પરિસંવાદનો સાક્ષી બનવાનો છે, ત્યારે ટુરિઝમ મિટમાં મોટી સંખ્યામાં મહાનુભાવો સામેલ થશે. તેમને ભુજ એરપોર્ટ કે રેલવે સ્ટેશનથી ધોરડો લઇ જવા અને ત્યાંથી કચ્છમાં ફેરવવા માટે ફોર વ્હીલ જીપ કાર તેમજ આધુનિક સુવિધાઓ ધરાવતી બસ સહિત અંદાજે 100 વાહનો ભાડે કરવામાં આવશે.
20થી22 જાન્યુઆરીના ધોરડોમાં યોજાનારી ટુરિઝમ, સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ મિટમાં 19 પ્રધાન ઉપરાંત દેશના તમામ રાજ્યોના મંત્રીઓ તેમજ વિભાગના સચિવો સહિત અંદાજે 700 લોકો સામેલ થવાના છે.
ભુજઃ આ વખતે કચ્છમાં આગામી 20 જાન્યુઆરીએ દેશના બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રવાસન, કલ્ચરલ અને રમતગમત મંત્રીઓ અને સચિવોની ઉપસ્થિતિમાં ધોરડોના સફેદ રણમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની પ્રવાસન સમિટ-૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં આવે. આ વખતે ગુજરાનતા સીએમ વિજયભાઈ રૂપાણી તેનું ઉદ્ઘાટન 20મીએ બપોરે 3.30 કલાકે કરશે. જ્યારે વડાપ્રધાન આ સમિટને વિડિયોથી સંબોધન કરશે.