PNBમાં કૌભાંડ આચરનાર નીરવ મોદીના ભાઈએ અંબાણી પરિવારમાંથી કોની સાથે કર્યા છે લગ્ન, કેવો હતો માહોલ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈશેતાના પિતા દત્તારાજ દેશની સૌથી જાણીતી ફૂટબોલ ટીમના માલિક છે, તેમજ ગોવા અને વિદેશમાં અનેક રિપોર્ટ અન્ય બિઝનેસ ધરાવે છે.
ઈશેતાએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં બેચલર ઓફ આર્ટ્સની ડીગ્રી લીધી છે. ગ્રેજ્યુએશન સ્કુલ ઓફ જર્નાલિઝમ કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયન્સ કર્યું છે. ઈશેતાએ VOGUE, વોલ સ્ટ્રીટ જર્નલના ઈન્ડિયા રિયલ ટાઈમ બ્લોગ જેવા અનેક પબ્લિકેશનમાં ફાળો આપ્યો છે.
ઈશેતાએ Sunaparanta આર્ટ સેન્ટર ગોવાનાં આર્ટ ફેસ્ટિવલ, સાહિત્ય અને વિચારો જેવા કાર્યક્રમમાં એક્ઝિક્યુટિવ નિર્માતા તરીકે પણ કામ કર્યું છે. આંતરારાષ્ટ્રીય સ્તરે જાણીતા અનેક આર્ટીસ્ટના પ્રોજેક્ટ પણ ઈશેતાએ સારી રીતે પાર પાડ્યા છે.
ઈશેતા મુકેશ અંબાણીની બહેન દિપ્તી અને બનેવી દત્તારાજની એકમાત્ર પુત્રી છે. ઈશેતા સલગાંવકર હફીંગ્ટન પોસ્ટ ઈન્ડિયા એડિશનમાં editor-at-large પોસ્ટ પર કામ કરે છે.
નીશલે સિટી યુનિવર્સિટી લંડનથી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્શિયલ રિસ્ક મેનેજમેન્ટમાં ડિગ્રી હાંસલ કરી છે. અભ્યાસ બાદ યુરોપની અનેક પ્રતિષ્ઠિત ફાઈનાન્શિયલ સર્વિસ ઓર્ગેનાઝેશન્સ ખાતે ઈન્ટર્ન કર્યું છે.
નીશલ આઉટપુટ, ગુણવત્તા અને નિયમિતતાથી નવી તકો માટે સ્ત્રોત શોધે છે. ફાયર સ્ટાર ડાયમંડને યુરોપિયન કામગીરી વિસ્તારવામાં મહત્વનો રોલ નિભાવ્યો છે.
નીશલ મોદી નીરવ મોદીની ફાયરસ્ટાર ડાયમંડ કંપનીના ગ્લોબલ ડાયમંડ વિભાગના સીઈઓ છે. નીશલ રશિયા, અમેરિકા તથા ઈન્ડિયામાં થતાં તમામ ડાયમંડના ઉત્પાદનનું સંચાલન કરે છે. આ ઉપરાંત નીશલ વધુ ઉત્પાદન માટે સતત કંપનીની સિસ્ટમને અપગ્રેડ કરતો રહે છે.
આ પ્રસંગે મુકેશ અંબાણી તથા નીતા અંબાણીએ 24 નવેમ્બરના રોજ એન્ટેલિયામાં શાનદાર પાર્ટી પણ આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ તથા ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. આ પાર્ટીમાં લોકો ખૂબ મજા માણી હતી.
મુકેશ તથા અનિલ અંબાણીની બહેન દિપ્તી સાલગાંવકરની પુત્રી ઈશેતાના લગ્ન 2016માં ચાર ડિસેમ્બરના રોજ ગોવામાં કરવામાં આવ્યા હતાં. આ લગ્નમાં સમગ્ર અંબાણી પરિવાર હાજર રહ્યો હતો. જ્યારે નીતા અંબાણીનો સાડીમાં આગવો ઠાઠ જોવા મળ્યો હતો. નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી પણ લગ્નમાં ગોર્જિયસ લાગતી હતી.
ઈશેતા તથા નીશલ મોદીના લગ્ન એરેન્જ મેરેજ છે. નીશલે ઈશેતાના લગ્ન માટે ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું હતું. જ્યારે પ્રપોઝ કર્યું ત્યારે સૌ કોઈ હાજર હતા. આ પ્રસંગે વીવીઆઈપી લોકોને આમત્રંણ આપવામાં આવ્યું હતું. જ્યાં લોકો ખુબ જ મજા માણી હતી.
મુંબઈ: દેશના બેંકિંગ ઈતિહાસમાં સૌથી મોટા ફ્રોડમાં પંજાબ નેશનલ બેંકના 11,500 કરોડ રૂપિયાના કૌભાંડના ખુલાસા બાદ ડાયમંડ કિંગ નીરવ મોદી પર સકંજો કસવામાં આવ્યો છે. પંજાબ નેશનલ બેંકને 11,356 કરોડનું કૌભાંડ કરનાર નીરવ મોદી મૂળ પાલનપુરનો વતની છે તેવું જાણવા મળ્યું છે. તે પીએનબી સાથે 11,500 કરોડ રૂપિયાનો ફ્રોડ કરીને દેશ છોડીને ભાગી ગયો છે. જોકે નીરવ મોદી તથા મુકેશ અંબાણી વચ્ચે ખાસ સંબંધ છે. નીરવ મોદીના નાના ભાઈ નીશલ મોદીએ મુકેશ અંબાણીની ભાણી ઈશેતા સાલગાંવકર સાથે 2016માં લગ્ન કર્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -