✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપમાંથી કોનું કપાઇ શકે છે પત્તુ ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Feb 2018 05:40 PM (IST)
1

હાલની રાજ્યસભાની ચાર બેઠકો પૈકી ત્રણ બેઠકના સભ્યો કેન્દ્રમાં પ્રધાન છે. તેથી આગામી ચૂંટણીમાં ભાજપે આ ત્રણમાંથી એક પ્રધાનને પડતા મૂકવા અથવા અન્ય રાજ્યમાંથી ચૂંટણી લડાવવી પડે તેવી સ્થિતિ છે.

2

અમદાવાદઃ 23 માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઘટી જતાં ચારેય બેઠકો મળવી શક્ય નથી. ભાજપની વર્તમાન સંખ્યાબળને આધારે બે બેઠકો જ જીતી શકે તેમ છે.

3

સૂત્રોના કહેવા મુજબ શંકર વેગડનું પત્તુ કપાશે તે પણ નક્કી છે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનું પત્તુ કપાવાની શક્યતા છે. આ ઉપરાંત એક અટકળ પ્રમાણે ભાજપ જેટલીને અન્ય રાજ્યમાંથી રાજ્યસભાની ચૂંટણી ઉતારી શકે છે. જો આમ થાય તો માંડવિયા બચી શકે છે.

4

હાલ ગુજરાતમાંથી અરૂણ જેટલી, પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા કેન્દ્ર સરકારમાં મંત્રી છે. જ્યારે શંકર વેગડ માત્ર રાજ્યસભા સાંસદ છે.

5

આ સંજોગોમાં ક્યા મંત્રીને પડતા મૂકવા અથવા બીજા રાજ્યમાંથી ચૂંટણી લડાવી પ્રધાનપદે ચાલુ રાખવા તેને લઈ ભાજપ હાઇકમાન્ડ માટે કપરી સ્થિતિ ઉભી થઈ છે.

6

ભાજપ અરૂણ જેટલીને ગુજરાતમાંથી ઉત્તરપ્રદેશ કે મહારાષ્ટ્રમાં મોકલી શકે છે. આ બંને રાજ્યોમાં અનુક્રમે 10 અને 6 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાંથી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા બંને પટેલ નેતા છે. 2019 લોકસભા ચૂંટણીને જોતાં ભાજપ તેમની ટિકિટ કાપવા નહીં માંગે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપમાંથી કોનું કપાઇ શકે છે પત્તુ ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.