‘સંઘનો સર્વેઃ ગુજરાતમાં અત્યારે ચૂંટણી થાય તો ભાજપને 60-65 બેઠકો મળે’, આ વાયરલ પોસ્ટનું સત્ય શું છે? જાણો વિગત
આ સમાચારમાં એવો દાવો પણ કરાયો હતો કે, સંઘના સર્વેમાં એ તારણ નિકળ્યું છે કે તેણ મહામહેનતે ભાજપ તરફ વાળેલા દલિતો પાછા ભાજપથી દૂર જઈ રહ્યા છે. આ ઉપરાંત સરકારી નોકરીઓ અને જમીનની ફાળવણીના મામલે આદિવાસીઓ પણ આંદોલન છેડી શકે છે તેવો રીપોર્ટ પણ સંઘ દ્વારા અપાયો હોવાનો દાવો કરાયો છે.
આ ઉલ્લેખથી જ સ્પષ્ટ છે કે આ સમાચાર એકાદ વરસ જૂના છે અને હાલના નથી. અત્યારે ચૂંટણી થાય તો ભાજપને કેટલી બેઠકો મળે તે કહેવું મુશ્કેલ છે પણ અત્યારે વાયરલ કરાઈ રહેલી આ પોસ્ટ જૂની છે એ સ્પષ્ટ છે. જાણીતા હિન્દી દૈનિકમાં આ સમાચાર એકાદ વરસ પહેલાં પ્રસિધ્ધ થયા હતા ને તેને અત્યારે વાયરલ કરાઈ રહ્યા છે.
અમદાવાદઃ સોશિયલ મીડિયા પર હમણમાં એક પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટમાં દાવો કરાયો છે કે, ભાજપની પિતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તથા ભાજપ દ્વારા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને એક સર્વે કરાયો છે. આ સર્વેમાં અત્યારે ચૂંટણી થાય તો ભાજપને માત્ર 60 65 બેઠકો મળે તેવું તારણ નિકળ્યું છે.
આ પોસ્ટના લખાણ પ્રમાણે દલિત આંદોલનના કારણે રાજ્યમાં ભાજપનો જનાધાર ઘટી ગયો છે. આ સર્વે પ્રમાણે દલિત અને પાટીદાર આંદોલનના કારણે ભાજપને ઓછામાં ઓછી 18 બેઠકોનું નુકસાન થશે. તેમાં દાવો કરાયો છે કે, પાટીદાર આંદોલનના કારણે ભાજપ 104 બેઠકો પર હારશે તેવું સંઘે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે કહેલું.
આ પોસ્ટના કારણે એવી છાપ ઉપસે છે કે, સંઘ તથા ભાજપ દ્વારા તાજેતરમાં આ સર્વે કરાયો છે પણ વાસ્તવમાં આ સમાચાર આનંદીબેન પટેલે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું તે સમયના છે. આ સમાચારમાં જ આ વાત લખાયેલી છે ને દાવો કરાયો છે કે, આ રીપોર્ટના આદારે સંઘના નેતાઓએ આનંદીબેનને રાજીનામું આપવા મનાવી લીધાં હતાં.