જેમના વીજ જોડાણો કપાઈ ગયા છે તેમના માટે રાજ્ય સરકારે શું કરી જાહેરાત, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Oct 2017 07:29 PM (IST)
1
રાજ્યના અંદાજે 6 લાખ કરતા વધુ વીજ ગ્રાહકોને આ યોજના નો લાભ મળશે અને લગભગ 113 કરોડથી વધુની રકમ ની વ્યાજ માફી સરકાર આપશે.
2
અન્ય તમામ કક્ષાના વીજ ગ્રાહકો જો 3 માસની અંદર મુદ્દલ ની સંપૂર્ણ રકમ ભરે તો વ્યાજ માં પુરેપુરી માફી મળશે.
3
મુખ્યમંત્રીએ ઘર વપરાશના વીજ ગ્રાહકો (બી.પી એલ અને એ.પી.એલ )જો 3 માસ ની અંદર મુદ્દલ ની રકમ ભરી દે તો મુદ્દલની રકમ માં 50ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફી અપાશે. ખેતીવાડી ગ્રાહકોને પણ આ જ પ્રકારે જો 3 માસની અંદર મુદ્દલ ની રકમ ભરી દે તો મુદ્દલ ની રકમ માં 50 ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફી નો લાભ સરકાર આપશે.
4
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યમાં કાયમી ધોરણે કપાયેલાં વિવિધ કક્ષાના વીજ જોડાણો વાળા ગ્રાહકો ની બાકી લેણી રકમ પ્રત્યે ઉદાર અભિગમ થી માફી યોજના 2017 અન્વયે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.