સૌરાષ્ટ્ર ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ કહ્યુઃ ભાજપવાળાએ મને રાજકારણમાંથી કાઢી મૂક્યો......
તેમણે કહ્યું કે, જાહેરમાં આવા કાર્યક્રમો યોજાય તો સુપ્રીમ કોર્ટની લાઉડ સ્પીકર અંગેની માર્ગદર્શિકા નડે છે. રાજકોટવાસીઓની તાસીર 9.30 વાગ્યે ભોજન લઈને પછી કાર્યક્રમમાં જવા માટેની છે અને જાહેર કાર્યક્રમોમાં લાઉડ સ્પીકર 10 વાગ્યે બંધ કરવા પડે છે તેથી આ અંગે કશુંક વિચારવું જોઈએ.
હેમુ ગઢવી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા અધ્યક્ષસ્થાને હતા. તેમણે પ્રવચન કરતી વખતે રાજકોટની કલાપ્રેમી જનતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજકોટમાં અનેક લોક કલાકારો નિયમિત રીતે કાર્યક્રમ આપે છે પરંતુ હોલમાં કાર્યક્રમો યોજાતાં હોવાથી બેઠક વ્યવસ્થાની મર્યાદા હોય છે.
વજુભાઈએ એમ પણ કહ્યું હતું કે, હવે હું રાજકારણી નથી રહ્યો પરંતુ રાજકોટમાં ભાજપ સત્તા પર છે ત્યારે તેમણે રાજકોટના લોકોની માગણીને સંતોષવી જોઇએ. વજુભાઇ વાળા તેમની સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતા છે અને આ પ્રકારના સટાકા મારવાની તેમની આદત છે તેથી તેમની વાતને સૌએ રમૂજ તરીકે લીધી હતી. જૂની ટેવ છે. એટલે લોકોએ પણ આ વાત આશ્ચર્યની સાથે હાસ્યમાં ઉડાવી હતી.
રાજકોટ: કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા સોમવારે રાજકોટમાં આવ્યા હતા અને હેમુ ગઢવી હોલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રવચન આપતાં તેમણે મંચ પરથી એવું કહ્યું હતું કે, ભાજપવાળાએ રાજકારણમાંથી મને કાઢી મૂક્યો છે. આ વાત સાંભળીને ઉપસ્થિત સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા.