‘સ્થાનિકોને નોકરીઓ નહીં મળે તો જે કરવું પડશે તે કરીશ’, ભાજપના ક્યાં ધારાસભ્યે આપ્યું આ નિવેદન, જાણો વિગત
ઠાકોર સેના-કોંગ્રેસ પર આક્ષેપ કરનાર ભાજપના જ ધારાસભ્ય પ્રાંતવાદનુ ઝેર ઓકી રહ્યાં છે તેવો આક્ષેપ કરતાં કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રોજગારી આપવામાં નિષ્ફળ સરકાર હવે ગુજરાતમાં અંદરો-અંદર ઝઘડાવવા માંગે છે. જો સરકારની નિયત સાફ હોય તો આ ધારાસભ્ય સામે પગલાં લેવા જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટલાં સ્થાનિકો છે અને કેટલાં પરપ્રાંતિયો, જો પરપ્રાંતિયો હશે તો, હું જાહેરમાં જવાબદારી લઉં છું. 50 ગામોના લોકો અહીં હાજર છે. આ ગામના લોકોની હાજરીમાં કહુ છું કે, 80 ટકા સ્થાનિકોને રોજગારી નહીં મળે તો, જે કરવું પડે તે કરીશ. આંદોલન કરવું પડે તો તે પણ કરીશ.
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા વીડિયોમાં એવું કહેતાં નજરે પડે છે કે, આ માનવીય સંવેદનાની વાત છે. બીજી વાત યુવાનોની હતી. ફેક્ટરીઓમાં પરપ્રાંતીયો લોકો છે પણ હમણાં જ અમારા વિજયભાઈએ જાહેર કર્યું છે કે, કોઈ ફેક્ટરીઓમાં 80 ટકા સ્થાનિકો નહીં હોય તો નહીં ચલાવી લેવાય. હું અત્યારે સર્વે કરાવું છું.
રાજેન્દ્રસિંહ ચાવડા સ્પષ્ટ કહેતાં જણાયાં છે કે, ફેક્ટરીઓમાં સ્થાનિકોને નોકરીઓ નહીં મળે તો જે કરવું પડે તે કરીશ. આ વીડિયો વાયરલ થતાં ઠાકોરો અને કોંગ્રેસને ભાવતું રાજકીય ભાથું મળી ગયું. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં ભાજપની મુશ્કેલી વધી ગઈ છે.
હિંમતનગર: હુમલાઓ થતાં પરપ્રાંતીયો પર ગુજરાત છોડી જઈ રહ્યા છે તે મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ભાજપ સરકારે તો ઠાકોરસેના પર આંગળી ચિંધી છે પણ ખુદ ભાજપના હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પ્રાંતવાદનું ઝેર ઓક્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -