✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પરપ્રાંતીયો પર હુમલા બાદ હજારો લોકોએ ગુજરાત છોડ્યું, રાજ્યમાં કુલ 57 કેસ નોંધાયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Oct 2018 08:42 AM (IST)
1

આવા માહોલમાં ગુજરાત સરકારે હિજરત કરી ગયેલા પરપ્રાંતીય નાગરીકોને ફરીથી ગુજરાત આવી જવાની અપીલ કરી છે. તેમજ હજુ જે ગુજરાતમાં છે તેવા લોકોને હિજરત નહીં કરવાની વિનંતી પણ કરી છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે તમારી સુરક્ષાની જવાબદારી અમારી છે. તેમજ જે હૂમલા થયા છે તેનાં દોષિતોને છોડવામાં નહીં આવે.

2

ગુજરાતમાં બની રહેલી ઘટનાઓના પડઘા અન્ય રાજ્યોમાં પણ પડયા છે. તેની સરકારો પણ ચિંતીત થઇ છે. જેને પગલે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી તમામ ટ્રેનો ફૂલ થઇ ગઇ છે. સરકારી અને લકઝરી બસોમાં પણ જગ્યા નથી.

3

અમદાવાદ: બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ રાજ્યનાં અનેક વિસ્તારોમાં પરપ્રાંતીય નાગરીકોને ટારગેટ કરાયા છે. જેને પગલે તેઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. ઘર ખાલી કરવાની સતત મળી રહેલી ધમકીઓ અને હૂમલાઓની આશંકાને પગલે રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં હજારો લોકોએ ગુજરાત છોડ્યું છે. જો સ્થિતિ સુધરશે નહીં તો હજુ ગુજરાતમાંથી હિજરત કરી જવાનો આંકડો વધશે. પોલીસ પરપ્રાતીયો પર હુમલા કરવાનાને લઈને 431 લોકોની અટકાયત કરી છે. રાજ્યમાં કુલ 57 કેસ નોંધાયા છે. સૌથી વધુ મહેસાણા જિલ્લામાં કેસ નોંધાયા છે.

  • હોમ
  • ગુજરાત
  • પરપ્રાંતીયો પર હુમલા બાદ હજારો લોકોએ ગુજરાત છોડ્યું, રાજ્યમાં કુલ 57 કેસ નોંધાયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.