સુરેન્દ્રનગરઃ આજે ગુજરાતના કોળી સમાજનું મહાસંમેલન, ભાજપ માટે કઈ રીતે છે મહત્વનું? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Feb 2019 08:12 AM (IST)
1
સુરેન્દ્રનગરઃ આજે ચોટીલાના સાંગાણીમાં અખિલ ભારતીય કોળી સમાજનુ મહાસંમેલન યોજાવાનું છે. કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને સમાજ એકઠો થશે. આ મહાસંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજરી આપવાના છે.
2
મિશન 2019ને લઈને ચોટીલાના સાંગાણીમાં અખિલ ભારતીય કોળી મહાસંમેલન ભાજપ માટે ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી અને 13 જિલ્લાના દોઢ લાખ કોળી સમાજના લોકો આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાન મોદી પણ આ સંમેલનમાં વીડિયો કોંફ્રેસથી સંબોધન કરવાના છે. ધારાસભ્યો, સાસંદ અને હોદ્દેદારો પણ હાજર રહેશે.