સુરેન્દ્રનગરઃ આજે ગુજરાતના કોળી સમાજનું મહાસંમેલન, ભાજપ માટે કઈ રીતે છે મહત્વનું? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
સુરેન્દ્રનગરઃ આજે ચોટીલાના સાંગાણીમાં અખિલ ભારતીય કોળી સમાજનુ મહાસંમેલન યોજાવાનું છે. કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને સમાજ એકઠો થશે. આ મહાસંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજરી આપવાના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મિશન 2019ને લઈને ચોટીલાના સાંગાણીમાં અખિલ ભારતીય કોળી મહાસંમેલન ભાજપ માટે ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી અને 13 જિલ્લાના દોઢ લાખ કોળી સમાજના લોકો આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાન મોદી પણ આ સંમેલનમાં વીડિયો કોંફ્રેસથી સંબોધન કરવાના છે. ધારાસભ્યો, સાસંદ અને હોદ્દેદારો પણ હાજર રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -