✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાટીદારોને અનામત આપવાની કોંગ્રેસની ફોર્મ્યુલા શું છે? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Nov 2017 02:38 PM (IST)
1

સવર્ણ આયોગની રચના બાબતે પક્ષ દ્વારા જાહેરાત કરાઈ છે. આ આયોગ પણ શૈક્ષણિક અને આર્થિક ઉપાર્જનની સમાન તક આપવાના ઉદ્દેશમાં મદદરૂપ થશે. કોંગ્રેસ આ બાબતનો સમાવેશ ચૂંટણી ઢંઢેરામાં પણ કરશે. ૧૯૯૪ પછી અલગ અલગ નવ રાજ્યોમાં ૫૦ ટકાથી વધુ અનામત આપવામાં આવી હોવાની વાત પણ હાર્દિક પટેલે કરી હતી.

2

આ પ્રકારની જોગવાઇને સ્પેશિયલ કેટેગરી કે અન્ય કોઇ પણ નામ આપી શકાય. કોંગ્રેસ આ માટે કમિશનની રચના કરીને સર્વે કરાવશે અને તેના આધારે જે સમુદાયોને બંધારણના આર્ટિકલ-૧પ/૪ અને ૧૬/૪ મુજબ અનામતનો લાભ અપાયો નથી. તેવા સમુદાયોને અનામત આપવાની કોંગ્રેસે ખાતરી આપી છે.

3

આ કાયદા હેઠળ સ્પેશિયલ કેટેગરીમાં સમાવેશ કરવાના સમુદાયને નિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા તમામ સ્ટેક હોલ્ડર સાથે પરામર્શ કરી એક કમિટીની રચના કરાશે.

4

હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, એસસી, એસટી અને ઓબીસી વર્ગ માટેની હાલની 49 ટકા અનામતનાં માળખાંમાં કોઇ પણ જાતના ફેરફાર કર્યા વગર બંધારણના આર્ટિકલ-૩૧-સીને ધ્યાનમાં રાખીને બંધારણના ૪૬ની જોગવાઈમુજબ કોંગ્રેસ પક્ષ જો સત્તા પણ આવશે તો આગામી વિધાનસભામાં વિધેયક રજૂ કરશે.

5

અમદાવાદઃ આજે હાર્દિક પટેલે અનામત મુદ્દે કોંગ્રેસ સાથે થયેલ સહમતીને લઈને અનેક ખુલાસા કર્યા હતા. હાર્દિક પટેલે કોંગ્રેસ દ્વારા કેવી રીતે અનામત આપવામાં આવશે તેની વિગતવાર જાણકારી આપી હતી.

  • હોમ
  • ગુજરાત
  • પાટીદારોને અનામત આપવાની કોંગ્રેસની ફોર્મ્યુલા શું છે? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.