કોંગ્રેસે અમદાવાદના ક્યા છ ઉમેદવારોને ફોન કરીને ટિકિટ આપી હોવાની જાણ કરી?

મોડી રાત્રે બાપુનગર વિધાનસભા યુવક કોંગ્રેસના હોદ્દેદારોએ આ સંદર્ભમાં એક મીટિંગ પણ કરી હતી. તેમજ જો મોવડીમંડળ ઉમેદવારો નહીં બદલે તો રાજીનામાં આપી દેવાનું તેમજ આવા ઉમેદવારોને હરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
દિલ્હીથી ફોન આવતા કેટલાક સભ્યોએ પોતાના વિસ્તારમાં ફરી ફરીને પ્રચાર શરૂ દેવામાં આવ્યો છે. જેને પગલે અનેક વિસ્તારોમાંથી રોષ ફાટી નીકળ્યો છે.
ફોન પર જેને જાણ કરવામાં આવી છે તેમાં બાપુનગરની હિંમતસિંહ પટેલ, દરિયાપુરથી ગ્યાસુદ્દીન શેખ, ખાડિયા-જમાલપુરની સાબીર કાબલીવાલા, દાણીલીમડાથી શૈલેષ પરમાર, સાબરમતીથી ડો.જીતુ પટેલ અન વેજલપુરથી એન.જી.પટેલને ટિકિટ આપવાની વાતી ચાલી રહી છે તેવું કોંગ્રેસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ પક્ષો ગુજરાતના મતદારોને આકર્ષવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે અમદાવાદની બેઠકોની ચૂંટણી 14મી ડીસેમ્બરે બીજા તબક્કાની યોજાનારી છે. જેના માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
પરંતું કોંગ્રેસે જેના માટે ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે તેવા ઉમેદવારોને ટિકિટ આપવાનું નક્કી કરતાં કોંગ્રેસની હાલત કફોડી બનશે. જોકે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી ત્યારે પણ ભરૂચ, સુરત સહિતના અન્ય વિસ્તારોમાં કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ થઈ હતી જ્યારે કોંગ્રેસ પાંચ બેઠકો પર ઉમેદવારોના નામ બદલવા પડ્યા છે.
ટિકિટ ફાળવણીના મુદ્દે કોંગ્રેસમાં ભારે ભડકો જોવા મળ્યો છે. અમદાવાદની બેઠકો ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ છે. અમદાવાદની 16 બેઠકોમાંથી હાલ બે જ બેઠકો કોંગ્રેસ પાસે છે. જોકે આ વખતે કોંગ્રેસ સારા ઉમેદવારોને ટિકિટ આપશે તો વધુ બેઠકો જીતી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે.
જોકે કોંગ્રેસે અમદાવાદની બાપુનગર, દરિયાપુર, ખાડિયા-જમાલપુર, દાણીલીમડા, સાબરમતી અને વેજલપુરની બેઠકોનાં ઉમેદવારો નક્કી કરી નાખ્યાં છે. જેની જાણ ફોન પર કરી દેવામાં આવી છે. જેના કારણે કોંગ્રેસમાં ચર્ચાનો થવા લાગી હતી.