32ના ભોગ લેનાર ટ્રક બ્રિજ પરથી કેવી રીતે ખાબક્યો? ટ્રકના બોનેટ પર બેસનારની જુબાની

ટ્રક નીચે ખાબકતાં તે અને નીતિન કૂદી જતાં તેઓ બચી ગયા હતા. ટ્રક ડ્રાઇવર નીતિન દુર્ઘટના પછી ડરી જતાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ટ્રક ડ્રાઇવરે દારૂ પીધો હોવાની ચર્ચાએ પણ ભારે જોર પકડ્યું છે. હાલ તો પોલીસે ટ્રક ડ્રાઇવર નીતિનને પકડવાના ચક્ર ગતિમાન કર્યા છે.
હવે આ ટ્રક અકસ્માતને લઈને જાન લઈને જતી વખતે ટ્રકના બોનેટ પર બેઠેલી વ્યક્તિનું નિવેદન સામે આવ્યું છે. જે ટ્રક ડ્રાઇવર પર આક્ષેપ મુકવામાં આવ્યો છે, તે નીતિન વાઘેલા વરરાજાના કૌટુંબિક કાકા થાય છે. તે ગઈ કાલે નેસડા ગામેથી ડિઝલ પૂરાવીને આવ્યા હતા.
ભાવનગરઃ ગઈ કાલે સવારે ભાવનગર-રાજકોટ હાઈ-વે પર રંઘોળા નજીક જાન લઈને જતો ટ્રક બ્રિજ પરથી નીચે ખાબકતાં 32 લોકોના મોત થતાં કમકમાટી મચી ગઈ હતી. ગઈ કાલે અકસ્માત માટે ટ્રકના ડ્રાઇવરને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો અને એવા પણ સમાચાર આવ્યા હતા કે, અકસ્માત પછી ટ્રક ડ્રાઇવર ફરાર થઈ ગયો છે.
જાન બોટાદના ટાટમ ખાતે જવા રવાના થઈ ત્યારે ટ્રકના બોનેટ પર નીતિનનો કૌટુંબિક ભાઈ બેઠકો હતો. તેમના કહેવા પ્રમાણે ટ્રક ઓવરેટક કરવા જતાં નીતિને કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક બ્રિજ પરથી નીચે નાળામાં ખાબક્યો હતો.