ગાંધીનગર પાસેના પેથાપુરમાં ભાજપના 18 કાઉન્સિલરે કેમ આપી દીધાં પક્ષમાંથી રાજીનામાં? ક્યા મંત્રીઓ સામે કર્યા આક્ષેપ?
પાલિકાના સભ્યોએ કહ્યું હતું કે, ચૂંટણી સંબંધમાં પેથાપુરની સભામાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે, પેથાપુરમાં લેન્ડફીલ સાઇટ નહીં આવે. પરંતુ તેમણે ફેરવી તોળતાં તેઓ મશ્કરી સમાન બની ગયાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમે લોકોના વિશ્વાસ પર ખરા ઉતરતાં નહીં હોવાથી ભાજપ પક્ષમાંથી રાજીનામુ આપી રહ્યાં છીએ. પેથાપુરની જમીન ફાળવવાથી ફેલાનારી ગંદકી અંગે એક વર્ષથી વિવાદી બનેલા મુદ્દે ચર્ચા ચાલે છે.
પરંતુ કલેક્ટર કચેરીમાંથી જ આ જમીનના ઉતારા કઢાવતાં જાણવા મળ્યું હતું કે, જમીન ફાળવણીનો સત્તાવાર ઓર્ડર થઇ ગયો છે. અમારી સરકારે જ અમને અંધારામાં રાખ્યાની સાથે છેતર્યા છે. ગામ લોકો પહેલા ડમ્પિંગ સાઇટનો વિરોધ કરતા હતાં, તેઓ હવે અમારો વિરોધ કરે છે.
પ્રમુખે જણાવ્યું હતું કે, એ સમયે વિધાનસભાની ચૂંટણી માથે હતી. પેથાપુરના સરવે નંબર 3053માં ગાંધીનગરમાંથી દરરોજ નીકળતા 65 ટન જેટલા કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઈટ ઉભી કરવા કલેક્ટરે કરેલો 50 એકર જમીનની ફાળવણીનો ઓર્ડર રદ કરવા તારીખ 2 ઓગસ્ટ 2017ના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કલેક્ટરને પત્ર દ્વારા લેખિતમાં સુચના આપી હતી.
આ અંગે પાલિકાના પ્રમુખ રણજીતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, અમારી સરકારના મંત્રીઓએ જ અમને મુર્ખ બનાવી રહ્યા છે. મંત્રીઓએ ડમ્પિંગ સાઈટ માટે જમીન ફાળવણીનો કલેક્ટરનો ઓર્ડર રદ કરાવવાની બાહેંધરી આપી હતી, તેનું પાલન નહીં થવાથી અમે નગરવાસીઓને જવાબ આપવાની સ્થિતિમાં રહ્યાં નહીં હોવાથી આ પગલું ભર્યું છે.
પેથાપુર પાલિકાના પ્રમુખ સહિત 18 સભ્યોએ પેથાપુર ગામ નજીક ડમ્પિંગ સાઈટના નામે થનારી ગંદકીના વિરોધમાં ભાજપ પક્ષમાંથી રાજીનામા આપતો પત્ર પ્રદેશ ભાજપ પ્રમુખ અને મુખ્યમંત્રીને મોકલી આપ્યો છે. જેના કારણે ગાંધીનગર ભાજપ સહિત ખળભળાટ મચી ગયો છે.
ગાંધીનગર : ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક ભાજપે ગુમાવી દીધી છે ત્યારે ગાંધીનગર મહાપાલિકાની સાયન્ટિફીક લેન્ડ ફીલ સાઈટ વિકસાવવા પેથાપુર ગામની જમીન ફાળવવાના અને તેમ થવાથી ફેલાનારી ગંદકીના છેલ્લા એક વર્ષથી વિવાદી બનેલા મુદ્દે નવો વળાંક આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -