✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમરેલીઃ પત્નીને પતિના મિત્ર સાથે બંધાયા સંબંધ, પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Sep 2018 05:19 PM (IST)
અમરેલીઃ પત્નીને પતિના મિત્ર સાથે બંધાયા સંબંધ, પછી શું થયું?
1

અમરેલીઃ રાજુલાની સીમમાં રહેતા યુવકનું પત્ની અને તેના મિત્રે હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. પત્નીએ પતિના મિત્ર સાથે પ્રેમસંબંધમાં પતિની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

2

આ હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ તેમની પત્નીએ પતિના મિત્ર એવા પ્રેમી સાથે મળીને કરી હોવાની પોલીસને શંકા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો છે.

3

પોલીસે તપાસ દરમિયાન એક જગ્યાએ મૃતદેહ હોવાની શંકા જતાં ખોદકામ કરતાં ત્યાંથી લાશ મળી આવી હતી. આ લાશને પરિવારે ઓળખી બતાવતાં તે ભોળાભાઈની હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભોળાભાઇની હત્યા પ્રેમપ્રકરણમાં થઈ છે.

4

આ અંગેની વિગતો એવી છે કે, રાજુલાના કુંડલીયાળા અને રીંગણીયાળા ગામમાં રહેતા ભોળાભાઇ ભરવાડ બે દિવસથી ગુમ હતા. આ અંગે તેમના ભાઈએ ડુંગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આજે સીમ વિસ્તારની એક વાડીમાંથી ભોળાભાઈની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

  • હોમ
  • ગુજરાત
  • અમરેલીઃ પત્નીને પતિના મિત્ર સાથે બંધાયા સંબંધ, પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.