કેળા ખાનર વ્યક્તિનું એનર્જી લેવલ સાધારણ વ્યક્તિથી વઘુ હોય છે. કેળું એનર્જી લેવલ વધારવાની સાથે આયરનની પણ પૂર્તિ કરે છે. કેળામાં વિટામિન, આયરન, ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. કેળાના અન્ય ક્યા ફાયદા છે જાણીએ
ડિપ્રેસનડિપ્રેસનના દર્દી માટે પણ કેળું ઉપકારક છે. કેળામાં એવા પ્રકારનું પ્રોટીન છે, જે આપને રિલેક્શ ફીલ કરાવે છે. ઉપરાંત કેળામાં મોજૂદ બી-6 શરીરમાં બ્લડ ગ્લુકોઝના લેવલને ઠીક કરે છે.
આયરનએનીમિયા એટલે કે શરીરમાં હિમોગ્લોબીનની કમી. જો કોઇ વ્યક્તિમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો નિયમિત કેળાના સેવનથી શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દૂર થાય છે. કેળામાં ભરપૂર માત્રામાં આયરન મોજૂદ છે.
એનર્જી લેવલ વધારશેકેળાના સેવનથી શરીરનું એનર્જી લેવલ અપ થાય છે. કેળામાં આયરન હોવાથી હિમોગ્લોબિનની પૂર્તિ થાય છે અને શક્તિમાં વધારો થાય છે. કબજિયાતની સમસ્યામાં પણ કેળાનું સેવન ઔષધ સમાન છે.
સૂકી ઉધરસમાં કારગરજો સૂકી ઉધરસની સમસ્યા હોય તો કેળાને દૂધમાં ફેટીને લેવાથી રાહત મળે છે. કેળાનો સેક અથવા તો કેળાનું સરબત પણ સૂકી ઉધરસમાં કારગર પ્રયોગ છે.
બ્લડ પાતળું કરવામાં સહાયકકેળાનું સેવન લોહીને પાતળું કરીને ધમનીમાં રક્તનું સંચાલન સરળ બનાવે છે. કેળામાં મોજૂદ મેગેનેશ્યિમ શરીરમાં પહોંચીને કોલેસ્ટ્રોલની માત્રા ઓછી કરે છે. કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થતાં ધમનીમાં રક્ત સંચાર યોગ્ય રીતે થાય છે.