એસ્કોર્બિક એસિડ એ ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે. તેને સામાન્ય રીતે 'વિટામિન સી' કહેવામાં આવે છે. તે પાચન એટલે કે પેટ અને એકંદર આરોગ્યને સુધારવામાં મદદ કરે છે. પરંતુ તે રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર તરીકે શ્રેષ્ઠ રીતે ઓળખાય છે. જો વ્યક્તિના શરીરમાં તેની ઉણપ હોય તો શરદી, ઉધરસ, ફ્લૂ અને વાયરલ તાવનું જોખમ વધી જાય છે. જો તમે આ સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો તમે એસ્કોર્બિક એસિડથી ભરપૂર ખોરાક ખાઈ શકો છો.


જો વ્યક્તિના શરીરમાં આ એસિડની ઉણપ હોય તો તેને વારંવાર શરદીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં અમે તમને ખાસ ટિપ્સ જણાવી રહ્યા છીએ. જેની મદદથી તમે આ એસિડની ઉણપને પૂરી કરી શકો છો.


જામફળ: જામફળ એ એક એવું ફળ છે જે ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે, તેનો પલ્પ લાલ અને સફેદ હોય છે. તે સામાન્ય રીતે સારા પાચન માટે ખાવામાં આવે છે, પરંતુ તે વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત પણ છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. એક જામફળ ખાવાથી 125 મિલિગ્રામ એસ્કોર્બિક એસિડ મળે છે જે દૈનિક જરૂરિયાતના 138 ટકા છે.


કેલ: કેલ લીલા પાંદડાવાળા શાકભાજીમાં ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે અને સામાન્ય રીતે તેનો ઉપયોગ સલાડમાં થાય છે. જો તમે 100 ગ્રામ કાચા કેલ ખાઓ છો, તો તમને 93 મિલિગ્રામ એસ્કોર્બિક એસિડ મળશે જે દૈનિક જરૂરિયાતના 103 ટકા છે.


કીવી: કીવી એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે. ભલે તે થોડુ મોંઘુ હોય પણ તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. જો તમે મધ્યમ કદની કીવી ખાઓ છો, તો તમને 56 મિલિગ્રામ વિટામિન સી મળશે જે દૈનિક જરૂરિયાતના 62 ટકા છે.


લીંબુ: લીંબુનું સેવન આપણે ઘણી રીતે કરીએ છીએ. તે મોટાભાગે લીંબુ પાણી અને સલાડના રૂપમાં ખાવામાં આવે છે. એક લીંબુમાં 45 મિલિગ્રામ વિટામિન સી હોય છે, જે દૈનિક જરૂરિયાતના 50 ટકા છે. જે લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે તેમના માટે પણ લીંબુ ફાયદાકારક છે.


નારંગી: સાઇટ્રસ ફળોને વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે, તેમાંથી એક નારંગી છે. જો તમે તેને ખાશો તો તમારી રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થશે. એક મધ્યમ કદના નારંગીમાં 83 મિલિગ્રામ વિટામિન સી હોય છે જે દૈનિક જરૂરિયાતના 92 ટકા છે.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.


આ પણ વાંચો : Sprouted Fenugreek: ફણગાવેલી મેથી ખાવાના શું છે ફાયદા? ખુબ ટ્રેન્ડ થઈ રહ્યું છે આ સુપરફૂડ