Health :નાગરવેલના પાનના ફાયદા: નાગરવેલનું પાન  એન્ટીબેક્ટેરિયલ અને સોજા વિરોધી ગુણોથી ભરપૂર છે. પરંતુ, તેની ખાસ વાત એ છે કે તે પેટને ઠંડક પણ આપ છે.


નાગરવેલના પાનને માઉથ ફ્રેશનર તરીકે ખાવામાં આવે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાંદડામાં એવું શું છે જે મોં, પેટ અને પાચન માટે સારું માનવામાં આવે છે.નાગરવેલના પાન  એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઇમ્ફ્લામેન્ટરી ગુણોથી ભરપૂર છે. બીજું, તે એક હીલર છે જે પેટને ઠંડુ કરે છે એટલે પેટમાં બળતરાની સમસ્યામાં તેનું સેવન કારગર છે. આ પાન ઇમ્યુનિટિ બૂસ્ટ પણ છે.  આ કારણોસર, તમે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાં આ પાનનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને આ પાનનું પાણી પીવાના અનેક ફાયદા છે.


પેટનું ફૂલવાની સમસ્યામાં કારગર


નાગરવેલના પાનનું પાણી પેટ ફૂલવાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે. આ પાણી પીવાથી પેટના સ્તરને  ઠંડી મળે છે અને શરીરમાં પાચન ઉત્સેચકો વધે છે. તેના પેટમાં સોજો નથી આવતો અને પછી પેટ ફૂલવાની સમસ્યા ઓછી થાય છે. તેથી, જો ખોરાક ખાધા પછી પેટ ફૂલવાની સમસ્યા તમને પરેશાન કરે છે, તો  જમ્યા બાદ આ પાનું પાણી પીવું કે પાન ચાવવું ઉત્તમ રહે છે.


એસિડિટીમાં આ પાનનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે મદદરૂપ છે. વાસ્તવમાં, તે શરીરમાં એસિડ ઉત્પાદન અને એસિડ રિફ્લક્સની સમસ્યાને ઘટાડે છે. આના કારણે તમને પેટમાં બળતરા થતી નથી અને અપચો જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. આ ઉપરાંત, તે ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સને પચાવતા ઉત્સેચકોને પ્રોત્સાહન આપે છે, જેથી તમે લાંબા સમય સુધી એસિડિટીથી બચી શકો.


પેટની બળતરા  ઓછી કરે છે 


આ પાનાના  પાણી પેટની બળતરાને અસરકારક રીતે ઘટાડવામાં મદદરૂપ છે. આ પાણી પીવાથી એસિડ પિત્ત રસનું ઉત્પાદન નિયંત્રણમાં રહે છે અને તે શરીરની ગરમી ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ પાણીને સવારે ખાલી પેટ પીવાથી પેટની બળતરા અને ગરમી દૂર કરવા સાથે પાચન તંત્રની સમસ્યામાં પણ ઘટાડો થાય છે. આ રીતે આ પાનનું  પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.