Non stick cookware Disadvantages:શું આપ પણ  નોન-સ્ટીક વાસણોનો કિચનમાં ભરપૂર  ઉપયોગ કરો છો, તો આપને તેના વિશે ચોક્કસપણે જાણવું જોઇએ. વાસ્તવમાં તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, જાણીએ કેવી રીતે


આજકાલ ભારતીય રસોડા મોડ્યુલર બની રહ્યા છે. લોકોને માત્ર સ્માર્ટ કિચન જ નથી જોઈતું, પરંતુ તેઓ સ્માર્ટ કુકિંગ પણ કરી રહ્યા છે. વાસ્તવમાં, લોકો તેમના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સભાન થઈ ગયા છે. આવી સ્થિતિમાં તેઓ ભોજનમાં તેલ અને મસાલાનો ઓછો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. આને ધ્યાનમાં રાખીને, લોકો નોન-સ્ટીક વાસણોનો વધુ ઉપયોગ કરે છે કારણે કે ઓછો તેલમાં પણ આ વાસણ તાપમાં ખરાબ નથી થતાં. જો કે સ્વાસ્થ્યની દષ્ટીઓ આ વાસણનો ઉપયોગ નુકસાનકારક છે. કેવી રીતે જાણીએ.


નોન-સ્ટીક વાસણો કેમ હાનિકારક હોઈ શકે?


 તેમાં કોઈ શંકા નથી કે નોન-સ્ટીક કુકવેર ઓછું તેલ વાપરે છે અને તેને સાફ કરવું સરળ છે. આ વાસણ ઓછા તેલથી પણ તાપમાં ખરાબ નથી થતાં.  પરંતુ, તે હાનિકારક પણ હોઈ શકે છે, કારણ કે કોટિંગમાં માત્ર  પોલિટેટ્રાફ્લોરોઈથિલિન (PTFE) નો ઉપયોગ થાય છે. આ જ કારણ છે કે નોન-સ્ટીક વાસણોમાં ખોરાક ચોંટતો નથી. તેને ટેફલોન કહેવામાં આવે છે, જે પરફ્લુઓરોક્ટેનોઈક એસિડ (PFOA - પરફ્લુરોઓક્ટેનોઈક એસિડ)માંથી તૈયાર કરવામાં આવે છે. તે એક પ્રકારનું કેમિકલ છે.


  વર્ષ 2013માં તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એટલા માટે ઘણા નોનસ્ટિક વાસણોને PFOA-ફ્રી તરીકે લેબલ કરવામાં આવે છે. નોન-સ્ટીક વાસણોમાં ભલે આ કેમિકલનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો હોય, પરંતુ તેની જગ્યાએ અન્ય ઘણા કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પણ  સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે. આગળ જાણીએ  નોન-સ્ટીક વાસણોથી થતાં નુકસાન વિશે


નોનસ્ટીક વાસણથી થતાં નુકસાન



  • અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર નોન-સ્ટીક વાસણોનો વધુ પડતો ઉપયોગ કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ વધારે છે.

  • કિડની સંબંધિત સમસ્યાઓનું જોખમ રહેલું છે.

  • થાઈરોઈડ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે.

  • રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે.

  • નોન-સ્ટીકમાં રસોઈ કરવાથી આયર્નની ઉણપ થઈ શકે છે. તેનાથી એનિમિયા થઈ શકે છે.

  • કોગ્નિટિવ ડિસઓર્ડર એટલે કે મગજને લગતી કોઈ સમસ્યા થઈ શકે છે.

  •