Health  Tips:શું આપે  ક્યારેય વિચાર્યું છે કે, નાભિમાં તેલ લગાવવાથી ફાયદા થાય છે? નાભિમાં તેલ લગાવવાથી સંબંધિત પ્રશ્ન વારંવાર લોકોના મનમાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે નાભિ પર તેલ લગાવવાથી અદ્ભુત ફાયદા થાય છે. તેલ આયુર્વેદનો એક મહત્વનો ભાગ  ભાગ છે. નાભિમાં તેલ લગાવવું એ બહુ જૂની પ્રક્રિયા છે. આવા ઘણા તેલ છે જેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, નાભિ આપણા શરીરનું મધ્યબિંદુ છે, નાભિમાં તેલ લગાવવાના ફાયદા સાંભળીને આપ  આશ્ચર્યચકિત થઈ જશો.


નાભિમાં કંઇ પણ લગાવાની આખા શરીર પર  અસર થાય છે.  બીજી તરફ નાભિમાં તેલ લગાવવાથી ત્વચા ચમકદાર, ડાઘ-મુક્ત, સુંદર અને સ્વસ્થ બને  છે. નાભિમાં તેલ લગાવવાના ઘણા ફાયદા છે. પરંતુ સવાલ એ છે કે, નાભિમાં કયું તેલ લગાવવું જોઈએ.  નાભિમાં તેલ લગાવતા પહેલા તેની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું પણ જરૂરી છે. જેમાં કેટલાક લોકો ચૂક કરે છે. 


નાભિમાં સરસવનું તેલ લગાવવાના આ છે ફાયદા


જો નાભિમાં સરસવનું તેલ લગાવવામાં આવે તો તેના ઉપયોગથી ઘૂંટણના દુખાવા અને સંધિવાની બીમારીમાં પણ રાહત મળે છે. સૂતા પહેલા નિયમિત રીતે નાભિમાં સરસવના તેલના બે ટીપાં નાખો, આમ કરવાથી સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.


જો કોઈ વ્યક્તિના વાળ ઝડપથી ખરતા હોય તો તેણે નાભિ પર સરસવનું તેલ લગાવવું જોઈએ. આમ કરવાથી વાળ ખરવાની સમસ્યામાં જલ્દી રાહત મળે છે.


જો અપચાની સમસ્યા રહેતી હોય , પેટ હંમેશા ખરાબ રહેતું હોય તો પણ નાભિમાં સરસવનું તેલ નાખવાથી ફાયદો થાય છે. આ નુસખાથી પાચન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. 


Health tips: શરીરમાં આ પ્રકારના લક્ષણો દેખાય તો સાવધાન, આ બીમારીના છે સંકેત 


weating Excessively: વધુ પડતો પરસેવો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ રોગને હાઇપરહિડ્રોસિસ કહેવામાં આવે છે. હાઈપરહિડ્રોસિસ (Hyperhydrosis)  એ એક રોગ છે જેમાં વધુ પડતો પરસેવો થાય છે.
આપણું શરીર અનેક તત્વોનું બનેલું છે. આમાં એક સાથે અનેક ક્રિયાઓ થતી રહે છે. આ એક સમાન ક્રિયા છે, પરસેવો સામાન્ય રીતે તંદુરસ્ત શરીરની નિશાની છે. કોઈ પણ કામમાં મહેનત કર્યા પછી આપણને પરસેવો આવે છે, પરંતુ કેટલાક લોકોને કંઈપણ કર્યા વગર જ પરસેવો વળી જાય છે.



વધુ પડતો પરસેવો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ રોગને હાઇપરહિડ્રોસિસ કહેવામાં આવે છે. હાઈપરહિડ્રોસિસ એ એક રોગ છે જેમાં વધુ પડતો પરસેવો થાય છે.



બીમારીનું સંકેત છે વધુ પરસેવો
વધુ પડતો પરસેવો આવવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે હૃદયના વાલ્વમાં સોજો, હાડકાંને લગતું ઈન્ફેક્શન અને HIV ઈન્ફેક્શન પણ થઈ શકે છે. વધુ પડતો પરસેવો પણ હૃદય રોગની નિશાની હોઈ શકે છે, ક્યારેક તણાવ પણ પરસેવો થવાનું કારણ હોઈ શકે છે.



પરસેવો રોકવાના ઉપાય
• આપના આહારમાં મીઠું અને આલ્કોહોલનું સેવન ઓછું કરવું જોઈએ.
• જો ગર્ભાવસ્થામાં વધુ પડતો પરસેવો થતો હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
• આપના આહારમાં પૌષ્ટિક ખાદ્યપદાર્થો ઉમેરો, જેમાં વિટામીન ભરપૂર માત્રામાં હોય.
• પુષ્કળ પાણી પીવું એ શ્રેષ્ઠ ઉપાય છે. આનાથી પરસેવાની દુર્ગંધથી બચી શકાય છે
• સુતરાઉ કપડાં પહેરો જેથી તમને વધારે ગરમી ન લાગે.
• લીંબુ પાણી પીવો, જો લીંબુ પાણીની સમસ્યા હોય તો વધુને વધુ ગ્રીન ટી પીઓ. વધારે તણાવ ન લો.


• આ તમામ બાબતોનું પાલન કરીને તમે પરસેવાથી છુટકારો મેળવી શકો છો. અને  કોઇપણ રોગોને હળવાશથી ન લેવો જોઈએ, જો તમને લાગતું હોય કે, આ કોઇ રોગના લક્ષણો દેખાતા હોય તો તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.