Health Benefits: ઓલિવમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે જે તમને ફ્રી રેડિકલ ડેમેજથી બચાવે છે. તે હૃદયના સ્વાસ્થ્યથી લઈને ત્વચાના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે.


ઓલિવ ઓઈલ વિશે તમે બધા જાણતા જ હશો.ઘણા ઘરોમાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને માત્ર ઓલિવ ઓઈલમાં જ ભોજન બનાવવામાં આવે છે. આ તેલ ઓલિવ નામના ફળમાંથી મળે છે. જરા વિચારો જો ઓલિવ ઓઈલ આટલું ફાયદાકારક હોય તો ઓલિવ ખાવાથી કેટલો ફાયદો થશે.આજે અમે તમને ઓલિવ ખાવાના ફાયદા જણાવી રહ્યા છીએ. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.


ઓલિવ ઓઇલના ફાયદા


હાડકાને બનાવશે મજબૂત


ઓલિવ ખાવાથી હાડકાને ઘણો ફાયદો થાય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને પોલીફેનોલ્સ હાડકાને થતાં નુકસાનથી રોકે છે. જે ઓસ્ટીયોપોરોસીસના લક્ષણોને ઘટાડે છે અને હાડકાને સ્વસ્થ બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. ઓલિવમાં હાજર પોલિફેનોલ્સ હાડકાં પર મુક્ત રેડિકલની અસરને ઘટાડવામાં મદદ કરે છે, જે હાડકાંને ક્ષીણ કરે  છે.


વેઇટ લોસમાં કારગર


 ઓલિવનું સેવન કરવાથી પણ સ્થૂળતા ઓછી કરી શકાય છે. વાસ્તવમાં, ઓલિવ પર કરવામાં આવેલા સંશોધનો દર્શાવે છે કે તેમાં હાજર લિનોલીક એસિડ શરીરમાં સંગ્રહિત ચરબીને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સિવાય તેમાં ઓલેરોપીન નામનું ખૂબ જ મહત્વપૂર્ણ ફોલિક સંયોજન છે, જે તેના સ્થૂળતા વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે. આ ફળ ઓછી કેલરી માટે પણ જાણીતું છે.તે ચયાપચય વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.


હૃદય રોગથી બચાવશે


 હૃદયને સ્વસ્થ રાખવામાં પણ ઓલિવ મોટી ભૂમિકા ભજવે છે. વાસ્તવમાં, તેમાં હાજર ફિનોલિક કમ્પાઉન્ડ લો ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ સામે રક્ષણ આપીને કોરોનરી હૃદય રોગના જોખમને ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. ઓલિવમાં ગૂડ ફાઇટ મોજૂદ છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.


આંખો માટે હિતકારી


 આંખોની રોશની જાળવી રાખવા માટે ડાયટમાં ઓલિવનો ચોક્કસપણે સમાવેશ કરો. તેમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા કે લ્યુટીન અને ઝેક્સાન્થિન રેટિના અને મેક્યુલાને રોગથી બચાવે છે.તેમાં રહેલું વિટામિન એ આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.


મેમરી બૂસ્ટ કરે છે


ઓલિવમાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ મેમરીને જાળવવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. તે મગજના કાર્યને સુધારે છે અને યાદશક્તિમાં ઘટાડો કરવાની સમસ્યાને ઓછી કરીને યાદશક્તિને સુધારવામાં મદદ કરે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો