Stressful Life: આ સમયે મોટાભાગના લોકોના જીવનમાં તણાવનું વર્ચસ્વ હોય છે. તેનું કારણ છે ઝડપી જીવન અને ક્યારેય સમાપ્ત ન થતી ઇચ્છાઓનું લિસ્ટ. વધુને વધુ પૈસા કમાવવાની લાલસામાં માણસે જીવનની શાંતિ ગુમાવી દીધી છે. આ જ કારણ છે કે આજકાલ મોટાભાગના લોકો તણાવમાં જોવા મળે છે.


લોકોની સહનશીલતાનો અંત આવ્યો છે અને મૂડ સ્વિંગ વધી ગયો છે. આ સ્થિતિ સામાન્ય રીતે ત્યારે જ આવે છે જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી તણાવમાં હોય. અહીં જાણો, તમે ગંભીર તણાવના લક્ષણોને કેવી રીતે ઓળખી શકો છો.


તણાવના મુખ્ય લક્ષણો


કોઇ કામમાં ધ્યાન ન લાગવું.


માથાનો દુખાવો.


પીઠનો દુખાવો.


ઝડપી શ્વાસ લેવો.


યાદશક્તિ ઓછી થવી


કબજિયાત


સેક્સની ઇચ્છા ઓછી થવી


 


કેવી રીતે રહેશો તણાવ મુક્ત


પહેલા તણાવના કારણોને ઓળખો


કામ પરથી થોડા દિવસની રજા લો


પોતાની સાથે સમય પસાર કરો


તમને શેનાથી ખુશી મળે છે તે ઓળખો


ટૂંકા પ્રવાસ પર જાવ


ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો


વૉક કરો.


એકલા સમય પસાર કરો અને પોતાની લાઇફને મેનેજ કરવાનો પ્રયાસ કરો


ફાસ્ટ ફૂડ ઓછું ખાવ અને લીલા શાકભાજી વધુ ખાઓ


સ્ટ્રેસની સારવાર


જો ઉપરોક્ત પદ્ધતિઓ અનુસર્યા પછી પણ તમને રાહત ન મળે તો ચિંતા કરવાની જરૂર નથી. તેમને અપનાવતા રહો અને સારા મનોચિકિત્સકને મળો. કારણ કે ઘણી વખત તણાવનું કારણ શરીરમાં હેપ્પી હોર્મોન્સના સ્ત્રાવની ઉણપ પણ હોય છે.


ઘણાં વિવિધ કારણોને લીધે શરીરમાં ડોપામાઇન અને સેરાટોનિન જેવા હેપી હોર્મોન્સનો સ્ત્રાવ ઓછો થાય છે, જેના કારણે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું પ્રમાણ વધે છે અને વ્યક્તિ ગંભીર તણાવમાં જાય છે. તેની સારવાર દવાઓ અને ઉપચાર દ્વારા શક્ય છે.


Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવા પ્રકારે કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.


 


PIB Fact Check: શું સરકાર 'મહિલા સ્વરોજગાર યોજના' હેઠળ મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવી રહી છે? જાણો સત્ય


KBC 14: અમિતાભ બચ્ચને એડ એજન્સીઓ સાથેના કામની વ્યથા વર્ણવી, કહ્યું - મોટો એક્ટર હોય તો પણ....


આ કારણથી Vijay Devarakonda ચંપલ પહેરીને કરી રહ્યો છે Liger ફિલ્મનું પ્રમોશન, કારણ છે રસપ્રદ...


Exam: 42 વર્ષની માં અને 24 વર્ષના દીકરાએ એકસાથે પાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા, દીકરો બોલ્યો- વિચાર્યુ ન હતુ...........