Baldness Reason:આજકાલની આપણી ખરાબ જીવનશૈલી અને આહારશૈલીના કારણે ટાલ પડવાની સમસ્યા વધુ જોવા મળે છે.  બાળકોથી લઈને યુવાનોમાં ટાલ પડવાની સમસ્યા ઘણી વધી રહી છે. જેના કારણે ઘણી વખત શરમ પણ અનુભવવી પડે છે. તમે ઘરે જ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.


થોડા ઘણા વાળ ખરવા તે સામાન્ય વાત છે, પરંતુ જો તમારા વાળ રોજેરોજ વધુ પડતાં ખરતા હોય તો તેનું કારણ તમારો આહાર હોઈ શકે છે. વાળ ખરવાનું કોઈને પસંદ નથી. જો તમારા વાળ સતત તૂટતા રહે છે તો તેનો અર્થ એ છે કે તમે ટાલ પડવાની દિશામાં આગળ વધી રહ્યા છો. બાળકોથી લઈને યુવાનો સુધી ટાલ પડવાની સમસ્યા ઘણી વધી રહી છે. જેના કારણે ઘણી વખત શરમ પણ અનુભવવી પડે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે ટાલ પડવાની સમસ્યા શાના કારણે થાય છે અને તમે ઘરે બેઠા આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો.


આ કારણે વાળ ખરે  છે


જો તમે સમયસર હેર વોશ કરો છો અને બધી જ કેર લો છો તેમ છતાં વાળ ખરે છે તો તેનું  સૌથી મોટું કારણ શરીરમાં પોષણનો અભાવ અથવા માનસિક અસ્વસ્થતા હોઈ શકે છે. ટાલ પડવાના પ્રારંભિક લક્ષણ એ છે કે તમારા વાળ માથાની વચ્ચેથી વાળ  ખરવા લાગે છે. આગળથી વાળ ખરવા અથવા બાજુથી વાળ ખરવાનું શરૂ થઇ જાય  છે. એટલા માટે પુષ્કળ પાણી પીવું અને  તણાવથી દૂર રહો.


હેર લોસને અટકવવાનો નુસખો


નારિયેળ તેલ દરેકના ઘરમાં  હોય છે, જો તમે પણ ટાલ પડવા તરફ જઈ રહ્યા છો, તો થોડું નારિયેળ તેલ ગરમ કરો, ત્યારબાદ તેલને ઠંડુ કરો અને વાળ અને માથાની ચામડી પર સારી રીતે માલિશ કરો. પછી ત્રણથી ચાર કલાક પછી વાળ ધોઈ લો. નાળિયેર તેલ વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે અને વાળના વિકાસમાં પણ મદદ કરે છે. આ સિવાય શરીરમાં ક્યારેય પાણીની કમી ન થવા દો, હંમેશા પોતાની જાતને હાઇડ્રેટ રાખો. ટાલ દૂર કરવા માટે ફટકડી પણ રામબાણ છે. આ માટે તમારા કન્ડીશનરમાં ફટકડી પાવડર મિક્સ કરો અને તેને લગાવો અને હેર વોશ કરી લો. કરી પતા તેલમાં ગરમ કરીને આ તેલ ઠંડુ પડે બાદ માથામાં તેનાથી મસાજ કરો. કરી પતાનું સેવન પણ હેર લોસમાં કારગર છે. ડુંગળીના રસને સ્કેલ્પમાં મસાજ કરો. સપ્તાહમાં 2 વખત આ પ્રયોગ કરો. હેર લોસમાં રાહત મળશે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે. Abp  અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.