Health:આજના સમયમાં, મેટાબોલિઝમ વધારવા માટે, તમને દર 2 થી 3 કલાકે થોડો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું થોડા કલાકોમાં ખાવાથી મેટાબોલિઝમ વધારવામાં મદદ મળે છે? દર 3 કલાકે કંઈક ખાવાથી મેટાબોલિઝમ વધશે કે નહીં તે ખબર નથી, પરંતુ આ રીતે વારંવાર ખાવાથી દિવસની કેલરીમાં ચોક્કસ વધારો થશે. તમારે દર થોડા કલાકોને બદલે દર 3 કલાકે ખાવું જોઈએ.


શોર્ટ ટર્મ ફાસ્ટિગની અસર શરીર પર કેવી થાય છે


અતિશય આહાર તમારા શરીરમાં, ખાસ કરીને અવયવોની આસપાસ વધારાની ચરબી બનાવીને મેટાબોલિક તણાવ તરફ દોરી જાય છે, અને તે ઇન્સ્યુલિન પ્રતિકારને પણ પ્રોત્સાહન આપે છે. આવી સ્થિતિમાં, ઉપવાસ વ્યક્તિના સંપૂર્ણ સ્વાસ્થ્યને સુધારે છે. જ્યારે તમે ખાવાનું બંધ કરો છો, ત્યારે કાર્બોહાઇડ્રેટ્સ 12 કલાકથી 36 કલાક સુધી બર્ન કરે છે. તેથી તમારું શરીર ઊર્જાના સ્ત્રોત તરીકે ચરબી તરફ વળે છે, આને "મેટાબોલિક સ્વીચ" કહેવામાં આવે છે. આ કારણોસર, ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં 16થી 18 કલાક ભૂખ્યા રહેવાની સલાહ આપવામાં આવે છે. તેથી આજે  ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ વિશે થોડું જાણીએ


ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં શું છે?


આ એક ડાયટિંગનો પ્રકાર છે. , જેમાં વ્યક્તિ 16-18 કલાક ખાધા વગર રહે છે અને ખોરાક ખાવાનો સમય માત્ર 6 કે 8 કલાકનો હોય છે. અહીં અમે તમને એક સામાન્ય  ઇન્ટરમિટેટ ફાસ્ટિંગ વિશે જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને કોઈપણ વ્યક્તિ વેઇટ લોસ કરી શકે છે.                                             


ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગના ફાયદા શું છે


સંશોધન મુજબ,  ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ  વજન ઘટાડવામાં મદદ કરે છે અને વૃદ્ધત્વના લક્ષણોને પણ ઘટાડે છે. એટલે કે વધતી ઉંમરની શરીર પર અસર ઘટાડે છે.  આ સિવાય તે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં, મગજના કાર્ય ક્ષમતા વધારવામં પણ મદદરૂપ છે. આ સાથે, તે શરીરમાં સોજાને પણ ઘટાડે છે.   બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.  ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ  ડાયાબિટીસ અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને રોકવામાં મદદરૂપ છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો