Health Tips: શું તમારું ગળું પણ અડધી રાત્રે સુકાઈ જાય છે. તમને ખૂબ તરસ લાગે છે. આના કારણે ઊંઘ ખરાબ થાય છે, સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. ગળામાં શુષ્કતાથી બચવા માટે કેટલાક ઉપાયો અપનાવવા જોઈએ.


ઘણી વખત રાત્રે તમે ગાઢ નિંદ્રામાં સૂતા હોવ અને તમને અચાનક ખૂબ તરસ લાગે છે. આ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. પરસેવો નીકળવા લાગે છે અને ગળું સુકાઈ જાય છે. આજકાલ આ સમસ્યા મોટાભાગના લોકોમાં  જોવા મળી રહી છે. આ સમસ્યાને  અવગણવી ખતરનાક બની શકે છે. એટલા માટે જ્યારે પણ આવી સમસ્યા હોય ત્યારે તમારે સાવધાન રહેવું જોઈએ. ચાલો જાણીએ આ સમસ્યાનું કારણ અને તેનાથી બચવાના ઉપાયો.


મિડ નાઇટ કેમ સૂકાઇ છે ગળુ


 દિવસ દરમિયાન ઓછું પાણી પીવું


આરોગ્ય નિષ્ણાતોના મતે, એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિને દિવસમાં ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણીની જરૂર હોય છે. જો તમે આનાથી ઓછું પાણી પીતા હોવ તો રાત્રે તમારા શરીરમાં પાણીની કમી હોવાનો સંકેત મળે છે. એટલા માટે સમયાંતરે પાણી પીતા રહો.


ચા અને કોફી પીવી


આપણા દેશમાં ચા-કોફી પીનારાઓની કોઈ કમી નથી. કેટલાક લોકો ચા અને કોફી વગર જીવી શકતા નથી. પરંતુ આ તમારા સ્વાસ્થ્યને પણ બગાડે છે. આમાં, કેફીનની વધુ માત્રા તમારા માટે સમસ્યા બની શકે છે. કેફીનના કારણે જ શરીરમાં પાણીની ઉણપ થાય છે અને તમને રાત્રે તરસ લાગે છે. જણાવી દઈએ કે કેફીન ના કારણે યુરીન પણ વારંવાર આવે છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે.


મીઠાનું વધુ સેવન


જો તમારે સ્વસ્થ રહેવું હોય તો દિવસમાં 5 ગ્રામથી વધુ મીઠું ન ખાવું જોઈએ. આનાથી વધુ મીઠું ખાવાથી શરીર પર નકારાત્મક અસર થવા લાગે છે. ખરેખર, મીઠામાં સોડિયમ જોવા મળે છે, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. આ કારણે પણ રાત્રે ગળું સુકાઈ જાય છે.


શુષ્ક ગળાને ટાળવા માટે આ ઉપાયો કરો



  • દિવસ દરમિયાન સમયાંતરે પાણી પીતા રહો.

  • મીઠાનું સેવન ઓછું કરો. ફ્રેન્ચ ફ્રાઈસ અને ચિપ્સનું સેવન  ટાળો.

  • મસાલેદાર ખોરાક ઘટાડવાનો પ્રયાસ કરો.

  • ચા અને કોફીનું સેવન ઓછું કરો અથવા તેમનાથી અંતર રાખો.

  • કોલ્ડ ડ્રિન્ક લેવાનું ટાળો

  • તમારા આહારમાં લીંબુ પાણી, છાશ, ફળોના રસ જેવા પ્રવાહીનો સમાવેશ કરો


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.