Who Should Not Eat Sprouts: સ્પ્રાઉટ્સ સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે તે કોઈને કહેવાની જરૂર નથી. ફણગાવેલા અનાજ એ પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ અને વિટામિન્સનું પાવર હાઉસ છે. જે અનેક પ્રકારની ખામીઓ પૂરી કરે છે. જેનું કોલેસ્ટ્રોલ કે સુગર એલિવેટેડ રહે છે. જેઓ વજન ઓછું કરવા માગે છે અથવા જેઓ ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન અને વાળ ઈચ્છે છે, તે લોકો સ્પ્રાઉટ્સનું સેવન કરે છે. સ્પ્રાઉટ્સમાં હાજર પોષક તત્વો પર કોઈ શંકા નથી, પરંતુ દરેક વખતે તેને ખાવાથી ફાયદા પણ થતાં નથી. ત્યારે આજે તમને જણાવીએ કે સ્પ્રાઉટ્સ ખાવાથી કેવી રીતે નુકસાન થઈ શકે છે અને શા માટે?


કોણે સ્પ્રાઉટ્સ ન ખાવા જોઈએ?


સ્પ્રાઉટ્સના એટલા બધા ફાયદા છે કે લોકો શરીરની કોઈપણ સમસ્યા માટે સ્પ્રાઉટ્સ ખાવાનું પસંદ કરે છે. ઘણી વાર લોકો એવું પણ કરે છે કે જો પાચન સંબંધી કોઈ સમસ્યા હોય તો તેઓ ખોરાકની માત્રા ઓછી કરી દે છે અને વધુ સ્પ્રાઉટ્સ ખાવાનું શરૂ કરી દે છે. જો કે આ માન્યતા એક મોટી ભૂલ સાબિત થાય છે. જો તમને વારંવાર અપચો લાગે છે. જો તમે ખોરાક ખાધા પછી ભારેપણું અથવા પેટનું ફૂલવું અનુભવો છો તો થોડા દિવસો માટે સ્પ્રાઉટ્સનું સેવન બંધ કરો અને તમારી સ્થિતિનું નિરીક્ષણ કરો.


આ સાવચેતી અવશ્ય રાખો


જો તમને સ્પ્રાઉટ્સ ખાધા પછી પેટની કોઈ સમસ્યા હોય તો સ્પ્રાઉટ્સની માત્રા ઓછી કરો અને તેને રોજ ન ખાઓ. તેના બદલે, સ્પ્રાઉટ્સને ખાતા પહેલા તેને થોડા ઉકાળી લો. આ રીતે સ્પ્રાઉટ્સ ખાવાથી અપચોની સમસ્યાને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.


આ સિવાય તમે ફણગાવેલા અનાજને જેટલી જલ્દી ખાઈ શકો તેટલું સારું. કેટલાક લોકો માને છે કે અનાજને પલાળ્યાના બેથી ત્રણ દિવસ પછી ખાવા જોઈએ. પરંતુ આનાથી અપચો સરળતાથી થઈ જાય છે. આ આદત તેમના માટે પરેશાની સાબિત થઈ શકે છે.


Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો