ડાયાબિટીસના દર્દીઓ માટે  સૌથી મહત્વનું છે બ્લડ સુંગર કંટ્રોલમાં રાખવું. જો ખાવા-પીવામાં થોડી બેદરકારી રાખવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓ માટે મુશ્કેલીયો વધી શકે છે. લીચી જેવા મીઠા ફળો ખાવા કોને ન ગમે?  ડાયાબિટીસના દર્દીઓને ઘણીવાર તેમની બ્લડ સુગરને નિયંત્રિત કરવાની સલાહ આપવામાં આવે છે. ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખાદ્ય ઉત્પાદનો ન ખાવા જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ માટે ફળો ખાવા લાભદાયક છે.


લીચી કેટલી ગળી છે 


લીચીમાં ખાંડનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેમાં ખાંડ વધારે હોય છે. તેમજ તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ અંક 50 છે. એક કપ લીચીમાં 29 ગ્રામ કુદરતી ખાંડ હોય છે. લીચીમાં પ્રાકૃતિક ખાંડ હોય છે જે બનાવટી ખાંડ કરતાં ઘણી વધુ ફાયદાકારક હોય છે. આ ગ્લાયકેમિક ઇન્ડેક્સ 55 કરતા ઓછી હોય તેવી ખાદ્ય વસ્તુઓ છે. તે ધીમે ધીમે રક્ત પરિભ્રમણમાં ખાંડને મુક્ત કરે છે. 
જે લોહીમાં શુગર લેવલને વધતું અટકાવે છે.


ડાયાબિટીસના દર્દીઓએ લીચી ખાવાથી સાવધાન રેહવું જોઈએ?


લીચીમાં પ્રાકૃતિક ખાંડ હોય છે. લીચીમાં ખાંડની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે સંપૂર્ણપણે સલામત છે.


લીચીમાં ફ્રુક્ટોઝ હોય છે જેના કારણે તે ખાધા પછી ધીમે ધીમે પચી જાય છે. લોહીમાં ખાંડ ધીમે ધીમે ઓગળી જાય છે. ફ્રુક્ટોઝ એ ખાંડ છે જે ફળોમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ એક એવી ખાંડ છે જે પાચન અને ઇન્સ્યુલિન માટે જરૂરી છે.


જો ડાયાબિટીસના દર્દીઓ લીચી ખાય તો પણ તેમણે તેમની કેલરીને ધ્યાનમાં રાખવી જોઈએ. લીચી ખાવાનો યોગ્ય સમય બપોર કે સવાર છે. કારણ કે તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સને તૂટવા માટે સમયની જરૂર છે. તે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. રાત્રિભોજન પહેલા અથવા સૂતા પહેલા લીચી ન ખાઓ, તેનાથી લોહીમાં શુગર લેવલ ખૂબ જ ઝડપથી વધી શકે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો લિચી મર્યાદિત માત્રામાં ખાઓ.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો