તાજેતરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાથ ધરવામાં આવેલા એક મોટા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ખૂબ જ તળેલી અને પ્રોસેસ્ડ ફૂડ્સ આઇટમ જેમાં એડવાન્સ્ડ ગ્લાઇકેશન એન્ડ-પ્રોડક્ટ્સ (AGEs)ની માત્રા વધુ હોય છે. જે ભારતમાં ઝડપથી વધતી ડાયાબિટીસની સમસ્યાનું એક મોટું કારણ બની રહ્યું છે. ICMR હેઠળ ડાયાબિટીસ પર એડવાન્સ રિસર્ચનું કેન્દ્ર મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે ઓછા AGEs ધરાવતો ડાયટ અપનાવીને ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે.


શું છે Advanced Glycation End-products (AGEs)?


AGEs હાનિકારક સંયોજનો હોય છે જે એક ખાસ પ્રક્રિયા મારફતે બને છે જેને ગ્લાઇકેશન કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં પ્રોટીન અથવા લિપિડ (ચરબી) શર્કરા સાથે પ્રતિક્રિયા કરે છે. જેનાથી આ સંયોજનો બને છે. AGEsનું શરીરમાં જમા થવું ડાયાબિટીસ ઉપરાંત બળતરા, ઓક્સિડેટીવ સ્ટ્રેસ, ઇન્સ્યુલિન પ્રતિકાર અને કોષોને નુકસાન સાથે સંકળાયેલું છે.


કયા ફૂડ્સમાં AGEs ભરપૂર હોય છે?


આ અભ્યાસ મુજબ, મોટા ભાગના તળેલા અને પ્રોસેસ્ડ ખોરાક જેવા કે સમોસા, ચિપ્સ, પરાઠા, ફ્રેન્ચ ફ્રાઈસ, રેડ મીટ, બેકરી ઉત્પાદનો અને ખાંડથી ભરેલી મીઠાઈઓ AGEsથી ભરપૂર હોય છે. AGE માં સમૃદ્ધ છે. આ ખાદ્ય પદાર્થ ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે.


રિસર્ચમાં થયો ખુલાસો


ICMR દ્વારા 12 અઠવાડિયા સુધી હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં 38 મેદસ્વી અને ઓવરરેટ વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા હતા. આ લોકોનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) 23 કે તેથી વધુ હતો. સંશોધનમાં આ લોકોને બે જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. એક જૂથને વધુ AGEs અને બીજાને ઓછા AGEs સાથેનો ડાયટ આપવામાં આવ્યો હતો.


પરિણામ એ આવ્યું કે જે લોકોએ ઓછા AGE હોય તેવો ડાયટ લીધો હતો તેમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો થયો અને બ્લડ સુગરમાં ઘટાડો જોવા મળ્યો હતો.


AGEs કેવી રીતે ઘટાડવું?


સંશોધન મુજબ, તળેલા ખોરાકને બદલે બાફેલા ખોરાક, લીલા શાકભાજી, ફળો, માછલી અને બ્રાઉન રાઇસ ખાવાથી AGEsનું સ્તર ઘટાડી શકાય છે. આ અભ્યાસે સ્પષ્ટ કર્યું છે કે ડાયાબિટીસના જોખમને ઘટાડવા માટે ઓછા AGEs હોય તેવો ખોરાક એ અસરકારક વ્યૂહરચના બની શકે છે.


એવું પણ જાણવા મળ્યું છે કે તળવા, શેકવા અને ગ્રિલ કરવાથી ખોરાકમાં AGEsનું સ્તર વધે છે, જ્યારે ઉકાળવાથી તે નિયંત્રણમાં રહે છે. તેથી રસોઈની તંદુરસ્ત પદ્ધતિઓ અપનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.


ભારતમાં ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા છે


હાલમાં ભારતમાં 101 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસથી પીડિત છે, જે દેશ માટે એક મોટો સ્વાસ્થ્ય પડકાર બની ગયો છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રહેતા લોકો આ રોગનો વધુ શિકાર બની રહ્યા છે, કારણ કે તેમની જીવનશૈલીમાં શારીરિક ગતિવિધિઓ ઘટી રહી છે અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધતા વધી રહી છે.


મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. વી. મોહને જણાવ્યું હતું કે, "ભારતમાં ડાયાબિટીસ મહામારીનું પ્રમુખ કારણ સ્થૂળતા, શારીરિક નિષ્ક્રિયતા અને AGEથી ભરપૂર બિનઆરોગ્યપ્રદ આહાર છે."


ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યાથી બચવા માટે આપણે આપણી ખાવાની ટેવમાં સુધારો કરવો પડશે. તળેલા ખાદ્યપદાર્થો અને પ્રોસેસ્ડ ફૂડને ખાવાનું ટાળવું જોઇએ. તેના બદલે આપણે લીલા શાકભાજી, ફળો અને બાફેલા ખોરાકને આપણા આહારનો ભાગ બનાવવો જોઈએ.