Navratri 2025: કેટલાક લોકો આ સમયગાળા દરમિયાન 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આમાંના કેટલાક લોકો માત્ર ફળો જ ખાય છે, પરંતુ જે લોકો ઉપવાસ દરમિયાન ફળો ઉપરાંત રોક સોલ્ટ ખાય છે તેમના માટે અમે લાવ્યા છીએ આ સ્વાદિષ્ટ વાનગીઓ જેને તમે લંચ કે ડિનર કોઈપણ સમયે બનાવીને ખાઈ શકો છો. જો નવરાત્રીમાં આપ વ્રત કરી રહ્યાં છો તો આ ફરાળી બંને ડિશની રેસિપી જાણી લો,
કુટ્ટુ પકોડા
કુટ્ટી તે ફાગોપાયરમ એસ્ક્યુલેન્ટમ પ્લાન્ટના ફળના બીજમાંથી કાઢવામાં આવે છે. આ ધાન્યની ખેતી બીજના રૂપે પણ થાય છે. જે સમગ્ર એશિયા અને યુરોપિયન દેશોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.જેને અંગ્રેજીમાં Buckwheat કહેવાય છે.
સામગ્રી
કટ્ટુનો લોટ – 250 ગ્રામ
બટાટા – 4 નંગ
લીલા મરચા- 2
આદુનો ટૂકડો
સ્વાદનુસાર સેંધા નમક
લીંબુનો રસ – 2 ટેબલસ્પૂન
કટ્ટૂના પકોડા બનાવવાની રીત
સૌ પ્રથમ બટાટાને બાફી લો, બાદ તેની છાલ ઉતારીને તેને મેશ કરી દો.
હવે તેમાં લીલા મરચા, લીબુંનો રસ, સેંધા નમક, ક્ટુનો લોટ મિક્સ કરીને લોટ બાંધી લો
બાંઘેલો લોટ વધુ સમય સુધી ન રાખો નહિ તો ઢીલો થઇ જશે.
હવે તેને પકોડા બનાવી લો અને તેને તેલમાં ડીપ ફ્રાય કરી દો.
ફરાળી સ્વાદિષ્ટ કટ્ટુના પકોડા તૈયારા છે.
નવરાત્રીની વ્રત દરમિયાન આ સ્વાદિષ્ટ બટાટા શકરપારાની રેસિપી કરો ટ્રાય
Navratri vrat recipes: ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.
મેંદાના કે ઘઉંના લોટના આપે શક્કરપારા ખાઘા હશે પરંતુ આજે અમને આપને ફરાળી સ્વાદિષ્ટ શક્કરપારાની રેસીપી જણાવી રહ્યાં છે. આપ બટાટામાંથી સ્વાદિષ્ટ શક્કરપારા બનાવી શકો છો. નવેય દિવસ આ ફૂડ આપને ગમે ત્યારે ક્રેવિંગ થાય ભૂખ લાગે ત્યારે ઉપયોગી થઇ શકે છે.
બટાટાના સ્વાદિષ્ટી શક્કરપારાબટાટાના સ્વાદિષ્ટ શક્કરપારા બનાવવા માટે સૌથી પહેલા આ સામગ્રી તૈયાર કરોબટાકા - 4 થી 5 નંગફુદીનો પાવડર - 1 ચમચી જરૂર મુજબ બરછટ છીણેલા લાલ મરચાંઘઉંનો લોટ - 2 ચમચી મીઠું સ્વાદ અનુસાર, તેલ - તળવા માટેરેસીપીસૌપ્રથમ બટેટાને છોલીને તેના જાડા લાંબા ટુકડા કરી લો. બે-ત્રણ પાણી બદલીને તેને ધોઈને સાફ કરો.
હવે તેને એકદમ ઠંડા બરફના પાણીમાં એકથી દોઢ કલાક સુધી પલાળી દો. ત્યારબાદ તેનું પાણી ગાળી લો અને તેને કપડા પર થોડી વાર માટે ફેલાવી દો.
તેના પર કોળુંના લોટને છાંટીને તેને ગરમ તેલમાં તળી લો, તેને ડીપ ફ્રાય કરો. અને આછો સોનેરી થાય ત્યાં સુધી તેને તળો.
હવે તેના પર રોક મીઠું, બરછટ પીસેલું લાલ મરચું, ફુદીનો પાવડર છાંટવો.