Health: ખરાબ ખાવાની આદતો અને જીવનશૈલી હૃદયના સ્વાસ્થ્યને બગાડે છે. જેના કારણે હૃદય રોગનો ખતરો વધી ગયો છે. હવે માત્ર વૃદ્ધો જ નહીં યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. જ્યારે હૃદયમાં રક્ત પરિભ્રમણ ઘટે છે અને બંધ થઈ જાય છે ત્યારે હાર્ટ એટેક આવે છે.

Continues below advertisement

 હૃદયરોગનો હુમલો આવે તે પહેલાં, શરીર પહેલેથી જ ચેતવણીના સંકેતો આપવાનું શરૂ કરે છે. ઘણા લોકો તેની અવગણના કરે છે, જે ખતરનાક બની શકે છે. હાર્ટ એટેકના ચિહ્નો શરીરના ઘણા ભાગોમાં તેમજ ચહેરા પર દેખાય છે. જો સમયસર આને ઓળખવામાં આવે તો ખતરો ટળી શકે છે.

 હાર્ટ એટેક પહેલા ચહેરા પર દેખાતા 5 ચિહ્નો

Continues below advertisement

 ચહેરા પર સોજો

જો કોઈના ચહેરા પર કોઈ કારણ વગર સોજો આવે તો સાવધાન થઈ જવું જોઈએ. આ હાર્ટ એટેકની ચેતવણી સંકેત હોઈ શકે છે. જ્યારે હૃદય લોહીને યોગ્ય રીતે પંપ કરી શકતું નથી, ત્યારે શરીરમાં પ્રવાહી એકઠું થવા લાગે છે, જેના કારણે ચહેરા પર સોજો આવી શકે છે.

 આંખોની નજીક કોલેસ્ટ્રોલનું સંચય

જો આંખોની નીચે અને પોપચાની નજીક કોલેસ્ટ્રોલ જમા થઈ ગયું હોય તો તે હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. આછા પીળા રંગના પદાર્થો આંખોની આસપાસ જમા થવા લાગે છે. તેને Xanthelasma પણ કહેવામાં આવે છે. તેનાથી હૃદય, મગજ અને અન્ય ઘણા અંગો સુધી લોહી પહોંચતું અટકે  છે. તેનાથી સ્ટ્રોક અને હાર્ટનું જોખમ વધી જાય છે.

 ચહેરાની ડાબી બાજુ દુખાવો

 ચહેરાની ડાબી બાજુએ દુખાવો અથવા નિષ્ક્રિયતા આવે છે તે પણ હાર્ટ એટેકની ચેતવણી સંકેત હોઈ શકે છે. જો તમને તમારા ચહેરાની ડાબી બાજુમાં લાંબા સમય સુધી દુખાવો અને નિષ્ક્રિયતા રહે છે, તો તેને બિલકુલ અવગણશો નહીં. આ હાર્ટ અટેકના સંકેત છે.

 ચહેરો વાદળી-પીળો થઈ રહ્યો છે

જો ચહેરાનો રંગ અચાનક  પીળો થઈ જાય તો તે હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે. જ્યારે હૃદય યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી, ત્યારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સાથેનું લોહી શરીરના અમુક ભાગો સુધી પહોંચતું નથી. તેનાથી ત્વચાનો રંગ બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

 ઇયરબોલમાં સમસ્યા

 ઇયરલોબ ક્રિઝમાં તિરાડો હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. એક અભ્યાસ મુજબ, હાર્ટ એટેકના લક્ષણો ધરાવતા લોકોમાં ઇયરલોબ ક્રિઝ વધુ જોવા મળે છે. જો કે, એવું જરૂરી નથી કે તે હાર્ટઅટેકના  લક્ષણો હોય પરંતુ આ સમસ્યામાં જાતે તારણ પર પહોંચતા પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો