Afternoon Nap Benefits: ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે શું બપોરે સૂવું જોઈએ કે નહીં? શું બપોરના ભોજન પછી ટૂંકી નિદ્રા લઈ શકાય છે અથવા તેના કોઈ ગેરફાયદા છે? આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે બપોરે થોડીવાર સૂવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેના માનસિક અને શારીરિક લાભો પણ છે. જો કે આ દરમિયાન કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

બપોરે જમ્યા બાદ 10 મિનિટ ઊંઘવાના ફાયદા

  • હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે અને બ્લડ પ્રેશરનું સ્તર નિયંત્રણમાં રહે છે.
  • સર્જરી પછી બપોરે સૂવું ફાયદાકારક છે.
  • હોર્મોન્સનું બેલેન્સ બની રહે છે
  • ડાયાબિટીસ, PCOD, થાઈરોઈડ અને અતિશય આહાર જેવી સમસ્યાઓથી બચી શકાય છે.
  • પાચન શક્તિ સુધરે છે અને કબજિયાત જેવી સમસ્યામાં રાહત મળે છે.
  • તમે ડેન્ડ્રફ અને પિમ્પલ્સથી છુટકારો મેળવી શકો છો.
  • રાત્રે ઊંઘની સમસ્યામાં રાહત આપે છે.
  • ઈજામાં રૂઝ આવવામાં પણ મદદ મળે છે
  •  બીમારીમાંથી સાજા થવામાં મદદ મળે છે.
  • બપોરની ઊંઘ વજન ઘટાડવામાં મદદ  કરે છે.

 

બપોરે સૂતા પહેલા આ ધ્યાન રાખો

  • લંચ બાદ ડાબા પડખે સુવુ જોઇએ .
  • નિષ્ણાતોના મતે બપોરે માત્ર 10 થી 20 મિનિટની ઊંઘ જ પૂરતી છે, તેથી તેનાથી વધુ ન લો.
  • વૃદ્ધ, માંદા અથવા નાના બાળકો 1.5 કલાક સુધી પણ સૂઈ શકે છે.
  • નિષ્ણાતોના મતે બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી સૂવું સારું માનવામાં આવે

 

લંચ બાદ આ ભૂલ ક્યારેય ન કરો

  • લંચ પછી આ ભૂલો ટાળો
  • સાંજે 4-7 વાગ્યાની વચ્ચે સૂવાનું ટાળો.
  • ખોરાક ખાધા પછી તરત જ ચા-કોફી, ચોકલેટ-સિગારેટનું સેવન ન કરવું.
  • ખોરાક ખાધા પછી થોડી વાર ચાલો.
  • બપોરના સમયે ક્યારેય 30 મિનિટથી વધુ સૂવું નહીં.