Beauty tips :કાજલ કે સુરમાથી ભરેલા આંખો દરેકને ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે આંખોમાં કાજલ લગાવવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો આપને  જણાવીએ કે તેની આંખો પર શું સાઇડ ઇફેક્ટ થાય છે.


સ્ત્રીઓના સોળ શણગારમાં કાજલ પણ એક શૃંગાર  છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે દરેક મહિલા કરે છે. કેટલાક પુરુષો પણ આંખોમાં કાજલ લગાવે છે અને બાળકોને પણ  કાજલ લગાવવામાં આવે છે. એવું કહેવાય છે કે તે આંખોને મોટી અને સુંદર બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, કાજલ કે સુરમા જેવી વસ્તુઓ આંખો પર લગાવવાથી આંખો પર ખરાબ અસર પડી શકે છે. જો નહીં, તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કાજલ લગાવવાથી શું  નુકસાન થાય છે.


કાજલની આડ અસરો- કાજલ લગાવ્યા બાદ આંખોમા બળતરા થઇ શકે છે.  ઇન્ફેકશન એલર્જીનું જોખમ પણ છે. આંખોની પલકોની ગ્રંથિમાં સંક્રમણ થઇ શકે છે.


બજારમાં મળતા કાજલ અંધત્વ તરફ પણ દોરી શકે છે.  યુવેઇટિસ - કાજલમાં રહેલા કેટલાક રસાયણો આંખોની અંદર બળતરા પેદા કરી શકે છે.


ગ્લુકોમા - અમુક ઘટકો આંખમાં દબાણ વધારી શકે છે, જે ગ્લુકોમા તરફ દોરી જાય છે.  કાજલના નિયમિત ઉપયોગથી આંસુ/લેક્રિમલ ગ્રંથી જખમ થઈ શકે છે, જે ડ્રાય આઈ સિન્ડ્રોમ તરફ દોરી જાય છે.


કાજલનો ઉપયોગ કરતી વખતે આ સાવધાની રાખો- આંખો  કિંમતી અને સુંદર છે, આપણે તેની સારી કાળજી લેવી જોઈએ. નિષ્ણાતો કાજલ/સુરમા અથવા આંખની અંદર જાય તેવા કોઈપણ મેકઅપનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવાની ભલામણ કરે છે. આઈ-લાઈનર, આઈ-શેડો, મસ્કરા વગેરે જેવા મેકઅપ જે બહાર રહે છે તેનો ઉપયોગ કરવો ઠીક છે. પરંતુ દિવસના અંતે તેને કાળજીપૂર્વક દૂર કરવું જોઈએ.


 આંખના કોઈ પણ ઈન્ફેક્શન, ઈજા, સર્જરી વગેરે વખતે આઈ મેકઅપનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે આઇ મેકઅપ કરતા  હોવ તો પણ ઊંઘતા પહેલા આંખો સાફ કરવી ખૂબ જ જરૂરી છે, પછી ભલે તમે ગમે તેટલા થાકેલા હો. આ માટે તમે સારા મેકઅપ રીમુવરનો ઉપયોગ કરવો જોઇએ. એક્સપાયરી ડેટ પછી ક્યારેય કોસ્મેટિક્સનો ઉપયોગ કરશો નહીં. ખાસ કરીને બાળકોએ કાજલ બિલકુલ ન લગાવવી જોઈએ, ડૉક્ટરો પણ આ માટે  મનાઈ કરે છે.


ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates]https://www.youtube.com/watch?v=WFj92oHd3B4


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.