Raisin Water: દરેક ઋતુમાં આપણી જીવનશૈલીમાં બદલાવ આવવા લાગે છે. આ ઋતુમાં ઘણીવાર આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે આપણે શરદી અને ફ્લૂનો શિકાર બનીએ છીએ. આવી સ્થિતિમાં, તમારી જાતને સ્વસ્થ રાખવા માટે તમારા આહારમાં આરોગ્યપ્રદ ખોરાકનો સમાવેશ કરવો જરૂરી છે. ડ્રાય ફ્રૂટ્સ આમાંથી એક છે,  તમારા આહારનો ભાગ બનાવવામાં આવે તો ઘણા સ્વાસ્થ્ય લાભો મળે છે.


કિશમિશ ખૂબ જ લોકપ્રિય ડ્રાય ફ્રુટ છે, જેનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓમાં થાય છે. સ્વાદમાં સહેજ ખાટી અને મીઠી હોવા ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો તેને પાણીમાં પલાળીને ખાય છે કારણ કે તે ઘણા ફાયદા આપે છે. જો કે, માત્ર કિશમિશ જ નહીં, પરંતુ તેનું પાણી પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના પાણીના કેટલાક ફાયદા-


કિશમિશ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી ઓછી નથી. તેનું પાણી પીવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ જાળવી રાખવામાં મદદ મળે છે. તે  સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં અને ઇન્સ્યુલિન પ્રતિભાવ વધારવામાં પણ મદદ કરી શકે છે. જો તમે પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો કિશમિશનું પાણી આમાં તમારી મદદ કરી શકે છે. તેમાં વિપુલ પ્રમાણમાં અદ્રાવ્ય ફાઇબર અને કુદરતી પ્રવાહી હોય છે, જે પાચનને સુધારવા માટે મદદરુપ બને છે.


કિશમિશમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં રહેલા બોરોન, પોટેશિયમ અને સૂક્ષ્મ પોષકતત્વો આપણા હાડકાંને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. કિશમિશનું પાણી આપણા શરીરમાંથી દૂષિત તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે તે શરીર માટે ડિટોક્સ વોટરની જેમ કામ કરે છે અને લીવરની બાયોકેમિકલ પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપે છે અને દૂષિત લોહીને સાફ કરે છે.


કિશમિશનું પાણી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં ખૂબ જ મદદરૂપ છે. આ ઉપરાંત, તે શરીરમાં ઓક્સિજનયુક્ત લાલ રક્તકણોને વધારવામાં પણ મદદ કરે છે અને એનિમિયાના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડે છે.


કિશમિશના પાણીમાં કુદરતી રીતે જોવા મળતા ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ તમને લાંબા સમય સુધી એનર્જીથી ભરપૂર રાખે છે. ઉપરાંત, તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જે તમને વધુ પડતું ખાવાથી અટકાવે છે અને આમ વજન ઘટાડવામાં મદદ કરે છે.