Is Refrigerated Food Harmful: શું આપ પણ  ઉનાળામાં રાંઘેલો ખોરાક લાંબા સમય સુધી

  ફ્રિજમાં  રાખો છો, તો આ આદત આપના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.


હવામાન ગમે તે હોય, ફ્રિજમાં ખોરાક સંગ્રહ કરવાનો ટ્રેન્ડ હંમેશા રહ્યો છે અને હવે ઉનાળો શરૂ થઈ ગયો છે. આ સિઝનમાં રેફ્રિજરેટરમાં ખોરાક રાખવાનું ચલણ વધુ વધી ગયું છે.આમ કરવાથી બચેલો ખોરાક સુરક્ષિત રહે છે. બીજી તરફ, કેટલાક કામ કરતા લોકો એવા છે જે સમય બચાવવા માટે અગાઉથી ફ્રિજમાં ખોરાક સંગ્રહિત કરે છે, જેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે તેને ઓવનમાં ગરમ ​​કરીને અથવા ગમે તે રીતે ખાઈ શકાય. પરંતુ શું તમે જાણો છો કે ફ્રીજમાં રાખવામાં આવેલો ખોરાક તમને બીમાર કરી શકે છે. હવે સવાલ એ થાય છે કે શું ફ્રિજમાં રાખેલ ફૂલ  ખાવાનું યોગ્ય છે કે નહીં અને જો રાખવામાં આવે તો તેને કેવી રીતે રાખવું જેથી કરીને ખાવાથી સ્વાસ્થ્ય પર અસર ન થાય. જાણીએ...


નિષ્ણાતો શું કહે છે


ડોકટરો હંમેશા તાજા ખોરાક ખાવાની ભલામણ કરે છે. ભલે હવામાન ગમે તે હોય. પરંતુ આ દિવસોમાં વધતું તાપમાન ખોરાકને થોડા સમયમાં બગાડી શકે છે. આવી સ્થિતિમાં ખોરાકને અમુક સમય માટે ફ્રીઝમાં રાખવો તો ઠીક છે, પરંતુ જો તમે એ જ ખોરાકને લાંબા સમય સુધી ફ્રીઝમાં સંગ્રહિત કરો છો અને તેને વારંવાર ગરમ કરો છો તો તેના પોષકતત્વો નુકસાન પામે છે.કેટલાક લોકો લોટ ગૂંથને ફ્રિજમાં રાખે છે. બાદ તેને રોટલી બનાવે છે. તેમાં બેક્ટરિયા આવીજાય છે.આ નુકસાન કરે છે.


ફ્રીજમાં રાખેલો ખોરાક ખાવાના ગેરફાયદા


લાંબો સમય રેફ્રિજરેટરમાં ખોરાક રાખવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે અને પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે.જો તમે લાંબા સમય સુધી રાખવામાં આવેલો ખોરાક ખાશો તો તેનાથી એસિડિટી, ઉલ્ટી વગેરે થઈ શકે છે.


ઈન્ફેક્શનનો ખતરો પણ હોઈ શકે છે, કારણ કે ઘણી વખત આપણે ફ્રીજને લાંબા સમય સુધી સાફ નથી કરતા, જેના કારણે તેમાં કીડાઓ વધવા લાગે છે અને આ જંતુઓ ખોરાકને પણ ગ્રસિત કરે છે.


ખોરાકને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવાથી તેમાં રહેલા પોષક તત્વો ધીમે ધીમે ઓછા થવા લાગે છે. ખાવાથી વિટામિન્સ અને મિનરલ્સ ખોવાઈ જાય છે અને આવો ખોરાક ખાવાથી સ્નાયુઓ નબળા પડી શકે છે.


વાસી ખોરાક ખાવાથી શરીરમાં સુસ્તી અને આળસ આવે છે.


આ બાબતોને હંમેશા ધ્યાનમાં રાખો


હંમેશા ઓછી માત્રામાં ખોરાક રાંધવાની કોશિશ કરો, પરંતુ જો તમે ફ્રિજમાં ખોરાકનો સંગ્રહ કરતા હોવ તો કાચો અને રાંધેલ ખોરાક અલગ-અલગ રાખો, કારણ કે કાચા ખોરાકમાંથી બેક્ટેરિયા ઠંડા રાંધેલા ખોરાકને દૂષિત કરી શકે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો