Beauty tips: સ્કિનનું કોલેજન સ્કિને ટાઇટ રાખે છે. જેના કારણે સ્કિન ઢીલી નથી પડતી. જો કે ઉંમર થતાં આ કોલેજન લૂઝ પડે છે અને સ્કિન ઢીલી પડતા કરચલીઓ દેખાવાવ લાગે છે. જો આપની ઉંમર 35 પ્લસ છે તો સ્કિન પર થોડી પણ ઝુરિયા દેખાતા આ ઇલાજ શરૂ કરી દો. સ્કિન પર ઝુરિયાને આવતી લાંબા સમય સુધી અટકાવી શકો છો


આપને જ્યારેથી ખ્યાલ આવે કે આપના ફેસ પર કરચલીઓ આવી રહી છે. તો ત્યારથી તેનો ઇલાજ શરૂ કરી દેવો જોઇએ. જો આપ તેનો ઇલાજ શોધશો તો ઘરેલુ અનેક નુસખા સામે આવશે. આપના રસોડામાં જ એવી અનેક સામગ્રી છે. જે કરચલીને દૂર કરવામાં કારગર છે. જાણીએ કયાં ઘરેલુ નુસખાથી ત્વચાની કરચલીઓ દૂર કરી શકાય.


કરચલીઓ દૂર કરવાનો કારગર ઉપાય


મુલતાની માટી અને ટામેટાંના પ્રયોગથી કરચલી દૂર કરી શકાય છે. મુલતાની માટીમાં, કાકડીનો રસ,ટામેટાંનો રસ, મધને મિક્સ કરો,આ પેસ્ટને ચહેરા પર લગાવો, અડધા કલાક બાદ ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી દો, સપ્તાહમાં આ પ્રયોગ 2 વખત કરો,ધીરે ધીરે કરચલીઓ દૂર થશે.


કેળાના પેસ્ટથી કરચલી દૂર કરો


કેળાંનું પેસ્ટ બનાવો,આ પેસ્ટને ચહેરા પર લગાવો,સપ્તાહમાં 2 વાર કરો પ્રયોગ,ત્વચા પર કસાવ આવશે. આ માટે મિલ્ક પાવડર પણ કારગર છે. મિલ્ક પાવડરમાં મધ મિક્સ કરો,આ પેસ્ટને ચહેરા પર લગાવો,કરચલીઓ ઓછી થઇ જશે અને ચહેરા પર ગ્લો આવશે.સપ્તાહમાં 2 વાર આ પ્રયોગ કરો.


અંગુરના રસનો કરો પ્રયોગ


અંગુરનો રસ ચહેરા પર લગાવો,20 મિનિટ બાદ ચહેરાને ધોઇ લો,સપ્તાહમાં 2 વખત ઉપયોગ કરો


નારિયેળ તેલનો ઘરેલું નુસખો


નારિયેળ, બદામ અને ઓલિવ ઓઇલને મિક્સ કરો,આ ઓઇલના મિશ્રણથી ચહેરા પર મસાજ કરો.ચહેરા પરના રિન્કલ્સ દૂર થશે.


અનાનસનો રસ પ્રયોગ


અનાનસ કરચલીને દૂર કરવામાં કારગર છે,અનાનસના રસને ચહેરા પર લગાવો,ત્યારબાદ અડધા કલાક બાદ ચહેરાને ધોઇ લો.


કિવિનો પ્રયોગ


કિવિ સ્વાસ્થ્યવર્ધક હોવાથી સાથે સૌંદર્ય વર્ધક પણ છે, વિટામિન-Cથી ભરપૂર છે. કિવિને પેસ્ટને ચહેરા પર લગાવો.ફાઇન્સ લાઇનન્સથી છૂટકારો મળશે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો